Book Title: Jain_Satyaprakash 1954 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન તવારીખના પાને નોંધાયેલી મહાગુજરાતની સમૃદ્ધિ. લેખક – પૂજ્ય પંન્યાસ શ્રી કનકવિજયજી સમૃદ્ધિ કે સંપત્તિ, પૂર્વકાલીન સુકૃત દ્વારા ઉપાર્જિત પુણ્યના વેગે આત્માને પ્રાપ્ત થાય છે. સમૃદ્ધિને મેળવી આપનારું પુણ્ય પાપાનુબંધી અને પુણ્યાનુબંધી આમ બે પ્રકારનું હોય છે. પુણ્યાનુબંધી પુણ્યના ભેગે મળેલી સંપત્તિ આત્માને જાગૃત રાખીને ઉત્તમ પ્રકારના સત્કાર્યોમાં મેટે ભાગે ખર્ચાય છે. જેથી તે લક્ષ્મીને ભોગવનારા આત્માઓ સાચે જ પુણ્યશાલી ગણાય છે. વિનય, વિવેક, દાન, સંયમ, નમ્રતા, ઔચિત્ય, નિઃસ્પૃહતા ઇત્યાદિ સુંદર ગુણો આ પુણ્યશાલી આત્માઓને વારસામાં જ જાણે મળેલા હોય છે, આથી આ પ્રકારના આત્માઓ ભવન્તરમાં પણ સદ્ગતિને મેળવનારા હોય છે. ભારતવર્ષ એટલા માટે આર્યલકાની વસતિવાળા આર્યદેશ એક રીતે ગણાય છે. મુખ્યત્વે આ દેશમાં આર્યસંસ્કૃતિની અસર રહેલી છે. આ દેશમાં સ્થાયી પ્રજા તરીકે કાયમી વસવાટ કરીને રહેલે વર્ગ આર્યસંસ્કારથી લાલિત થઈ પાલન કે પોષણ પામેલા જનસમુદાય છે. એટલે તેની સમૃદ્ધિ કે સંપત્તિ, સામાન્ય રીતે અન્ય અનાર્ય દેશની પ્રજાઓ કરતાં સહેજે પુણ્યાનુબંધી પુણ્યવાળી હોવી સંભાવ્ય છે. જ્યારે ગુજરાત-મહાગુજરાતમાં વસતી પ્રજા સંપત્તિ કે સમૃદ્ધિથી સમૃદ્ધ છતાં બધા દેશે. કરતાં વિશેષ પુણ્યાનુબંધી પુણ્યનો ભેગવંટ કરનારી હોવાથી તે ભૂમિ પણ પુણ્યમયી પવિત્ર મનાય છે અને એક કાલે ઈતર દેશની સંપત્તિનું કેન્દ્ર, વ્યાપારનું મથક અને સધળા વાણિજ્ય ઉદ્યોગોનું મધ્ય બિન્દુ ગુજરાતની પુણ્યભૂમિ ગણાતી—એ હકીકત સંકડે વન લિપિબદ્ધ ઈતિહાસ, મુખ્યત્વે-જેન ઈતિહાસ, આજે આપણને કહી રહ્યો છે. જે તે તે જૈન ચરિત્રગ્ર, પ્રબંધ, ચાવત રાસાઓના અભ્યાસક વર્ગને પરિચિત છે. આ બધા ગ્રન્થસર્જન પૂ. શાસનપ્રભાવક જેનાચાર્યો વગેરે જૈન શ્રમણની વિદ્વત્તાનાં પ્રતીકરૂપ છે. જૈન ઇતિહાસકારોને મહાગુજરાતની ધનસંપત્તિની નોંધ શા સાર લેવી પડી વાર ? આ પ્રશ્ન જન્મે એ કદાચ સંભવિત છે. એનો ઉત્તર સ્પષ્ટ છે અને તે એ કે, “જેન શ્રમણનિર્ટ એ કાંઈ શક્તિને અપવ્યય કરનારા ન હતા, પણ તેઓ મહાપ્રભાવશાલી તિર્ધર પુરુષ હતાં. વિદ્વત્તા સર્જનશક્તિ કે સાહિત્યપ્રવૃત્તિદ્વારા સ્વ કે પરના સાચા લેકકલ્યાણને માટે સતત પ્રવૃત્તિશીલ તેઓએ ગુજરાતની ધનસંપત્તિ એટલા જ માટે નેધી છે કે, “તકાલીન ગુજરાતની પ્રજા ધનસંપત્તિની પૂઠે પાગલ ન હતી, પણ ધનસંપત્તિ કે વૈભવને તુચક ક્ષણજીવી અને હાથના મેલની જેમ માનીને ત્યજી દઈ ઉત્તમ પ્રકારનાં સત્કાર્યો કરી અમર બની ગઈ. તેના નિર્મલ યશદેહને ઈતિહાસમાં નેધીને જૈન ઇતિહાસકારે ભાવી પ્રજાને એ ધર્મસંદેશ આપી ગયા કે- ધન, ધાન્ય, ઋદ્ધિ, સમૃદ્ધિ કે સંપત્તિને મેળવી, સાચવી કે ભોગવીને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28