Book Title: Jain_Satyaprakash 1954 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૧ ] પર્યુષણ પર્વને ઉદ્દેશ [ ૧૫ તેમના કરતાં વધારે સુખી હોવા છતાંય તેવા દુઃખી પ્રાણીઓને પિતાની હાજતો પૂરી પાડવા હણી નાખે છે ! અને તેમાં પોતાને શાણે ગણે છે ! એ એના હૃદયની કઠોરતાની પરાકાષ્ટા છે. સહુ પ્રાણીઓ કરતાં માનવીને હાથે હંમેશાં એવા નિરાધાર છના રક્ષણની ખૂબ જવાબદારી છે. છતાં એ ભૂલીને માનવી તેવા અશરણ છવોની હિંસામાં રાચે તે ઓછું ભેચનીય ન ગણાય. આવા અવિચારક પાપાચરણાદિના યોગે જ માનવ જેવી ઉત્તમ જાતને પણ આ ભવાટવીમાં અનાદિ કાળથી વારંવાર, તેમાંનાં પણ જે તે ભવ પામીને દુ:ખી દુ:ખી હાલતે ભટક્યા જ કરવું પડે છે. આથી જે માનવી આત્મધર્મને ઓળખતે થાય તે જગતના એ બધા જીવો પતિપતાની જિંદગી નિરાબાધપણે જીવી શકે, અને પોતે પણ ઉત્તરોત્તર સુખમય જીવન વિતાવી શાશ્વત સુખને પામે, એમ જ્ઞાની ભગવતિએ જેવું જોયું તેવું જણાવ્યું છે. ચારે ગતિના છેવામાં મનુષ્યગતિના જ જીવો ધારે તો તે પાપકર્મથી સદંતર મુક્ત બની શાશ્વત સુખના સ્વામી થઈ શકે તેવા શ્રેષ્ઠ છે.' પ્રભુએ મનુષ્યને જ અહિંસા ધર્મને ઉપદેશ આપે, તેમાં એક વિશિષ્ટ હેતુ છે. મનુષ્ય જેવી ઉત્તમ ગતિને પામેલા જેમાં પણ પાંચ પ્રકાર છે. ૧. કેટલાક જીવો ૫ગલાનંદી હોય છે જે અહિંસા ધર્મને અનર્થકારી માને છે. ૨. કેટલાક જીવોને અહિંસા, ધર્મ વિપરીતપણે પરિણમે છે. ૩. કેટલાક ઈવેને યથાર્થ પરિણમન થયેલું હોય પરંતુ પાલન થઈ શકતું ન હોય. ૪. કેટલાક જીવોને પરિણમન યથાર્થ થયું હોય અને પાલને અમુક અંશે જ કરી શકતા હોય ! જ્યારે પ. કેટલાક જ છે એવા મહાપુણ્યવંત હોય છે કે જેઓ સર્વજ્ઞ પરમાત્માએ ઉપદેશેલ અહિંસા ધર્મનું યથાર્થ પરિણમન પામેલા હોય છે અને તેનું સર્વાગીણ પાલન પણ કરતા હોય છે. એ પાંચ પ્રકારના મનુષ્યોની પિછાન પશ્ચાનુપૂર્વીએ આ પ્રમાણે થઈ શકે છે– 1-અહિંસાધર્મનું સર્વાગતયા પાલન કરવાવાળીનું આજીવન એ, એ હોય છે કે– “ઇનીનિયા તિહું તિવિહેંગ નવ વિદિા–પૃથ્વી, અપ, તૈઉં, વાઉ. વનસ્પતિ અને ત્રસ એ ઈયે નિકાયના જીવોનું, શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક મન, વચન, અને કાયાથી કરવું-કરાવવું અને અનુમેદવું એ નવટપૂર્વક રક્ષણ કરવું. એટલે કે–વવાળાં જળ-ફળ વગેરે વિના પિતાના પ્રાણ નીકળી જતા હોય તે નીકળી જવા દેવા, પરંતુ તે તે જેના ભાગે તે જીવવું જ નહિ !' આ રીતે પિતાના જીવનના ભેગે પણ સહુ જીવોને જીવવા દેવારૂપ સર્વાગ અહિંસાનું પાલન કરનાર તે જૈન સમાજને પૂજ્ય શ્રમણવર્ગ છે. આ વર્ગ બરાબર સમજે છે કે–“સુમરિયા પિ નીવ હૃતિ કોવિચ સ’–સંપૂર્ણ દુઃખમાં સર્વ ડૂબેલા જીવો પણ જીવવું જ ઇચ્છે છે. તે નીવવિયા સર્ચ ન વજીરું' તેઓને જીવિત કરતાં બીજું કાંઈ પણ વહાલું નથી. ૨-અહિંસાધર્મનું આંશિક પાલન કરનાર બીજે વર્ગ, પિતાના જીવનને જે રીતે નિભાવવા, બચાવવા અને ભેગાદિ સામગ્રી પૂરી પાડવી દ્વારા પોતે પિતાના જીવનની કિંમત ગણે છે, તેવી જ રીતે બીજા બધા જ જેના જીવનની કિંમત ગણે છે અને તેથી અશક્ય પરિહાર સિવાયના યે કાયના જીવોમાંથી એક પણ જીવને કે–તેના પ્રાણને દુઃખ કે હાનિ કરવા કદી તૈયાર હોતું નથી. જે જૈન સમાજનો દેશવિરતિધર શ્રાવકવર્ગ છે. ૩–અહિંસાધર્મની માત્ર સમજણ ધરાવનાર ત્રીજો વર્ગ સમજે છે કે “જી અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28