Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
- વર્ષ : ૧૭
જથ્થાં હતાં. પેાતે મહામહેનતે બચીને પે!કાર કરવા આવ્યેા હતે. પાટનગરમાં શાહી ન્યાય માર્ગવા ઘણા ટ ફેરા ખાધા હતા, પણ સ્પેને હાંકી કાઢવામાં આવ્યો હતા. ન્યાયી રાજાને નૌશેરવાનનું બિરુદ આપી આ દીનહીન મુસલમાને ન્યાય માટે પાકાર કર્યાં હતા.
સેાલક ન્યાય અદલ ઈન્સાફ તેાળશે, દીનદાર આદમી ! તારું નામ ? ' ‘ કુતુબઅલી ! ’
<
<
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંભાતમાં શું કરે છે? '
મસ્જિદને ખતીબ ( ઉપદેશક ) છું'.'
જરૂર તને ન્યાય મળશે. સધરા જેસ ંગના રાજ્યમાં વાધ ને બકરી એક આરે છે. અહી અઢારે વધુ એક આરે પાણી પીવે છે.' રાજા સિદ્ધરાજે છાતી ફુલાવીને કહ્યું. એના શબ્દોમાં રાજપદની જવાબદારીનું ભાન હતું.
* હજૂર, પણ મારી સલામતી ?'
તારા વાળ પણ વાંકા નહિ થાય ' રાજા સિદ્ધરાજે એમ કહેતાં પાતાના અંગરક્ષક શિસિ ંહને પાસે ખેલાવ્યા, અને કહ્યું : આ મુસ્લિમને તારા રક્ષણમાં રાખ. હું માથુ ત્યારે દરબારમાં હાજર કરજે, '
શિવસિંહે મસ્તક નમાવ્યું'. એને સાલકી રાજકમચારીઓ સામે ફરિયાદ કરનાર આ કુતુબઅલી કાંટા જેવા લાગ્યા, કાઢીને ફેંકી દેવા જેવા લાગ્યા, પણ રાજમના પાસે એ
લાચાર હતા.
રાજા સિદ્ધરાજ આ પછી મૃગયા રમવાની સ્વસ્થતા ન રાખી શકયો. સાંજે એ પાછે ફર્યાં, ને સાંજે જ ડિયાં જોજન સાંઢ તૈયાર કરાવી. એવી બીજી બે ઝડપી સાંઢ પર માત્ર બે જ અંગરક્ષકા સાથે જવાના હતા.
- શિવસિ’હું ! મહામાત્ય મુંજાલને ખબર આપ હુ' ત્રણ દિવસ અંતઃપુરમાં રહીશ. પૂરતી આસાયેશની ચ્છિા છે, માટે કાઈ દખલ ન કરે.'
શિવસિંહ પોતાના સ્વામીની વિચિત્ર વર્તણૂક જોઈ રહ્યો. કહેવાનું દિલ ધણું હતુ, પણ ક'ઇ કહેવાય તેમ નહતુ.
સમી સાંજે, ગારજ સમયે ગુજરાતના પાટનગરના પછવાડેના ભાગમાંથી ત્રણ ઘડિયાં જોજન સાંઢણીઓ અંધકારમાં ભળી જતી જોવાઈ.
પાટણથી ખભાત સો ગાઉ હતુ. એક રાતમાં એટલા પંથ કાપવાના હતા. આખી રાત સાંઢણી ચાલ્યા કરી !
પાઢના અધકારમાં એ ખભાતમાં પ્રવેશી ગઈ.
[ ૪ ]
પૂરતી આસાયેશ મેળવવા માટે અતઃપુરમાં ત્રણ દિવસ રહેલા મહારાજા સિદ્ધરાજ, આજે મધ્યાહ્ને પાટણપુરના દરબારમાં બિરાજવાના હતા. મંત્રીમડલ પુરેાહિત વર્ગ, સામતસરદાર સહુ આવીને યથાયેાગ્ય સ્થાને ગેાઠવાઈ ગયા હતા.
નેકીના ખુલ'દ અવાજ સાથે મહારાજ સિદ્ધરાજ આવ્યા. પણ આ શું? ત્રણ ત્રણ દિવસની પૂરતી આસાયેશ પછી પણ મહારાજ શ્રમિત કાં દિસે ? ઉજાગરે ઘેરાયેલી લાલ આંખા કાં ? ગુજરાતના મુત્સદી મંત્રીએ આનું વાજબી કારણુ શોધી ન શકયા, માન્યુ કે મહારાજ રણધીર હતા, એમ રસ–વીર પણ હતા. રસીલી કેઈ નવી રાણી સાથે રાતભર ચેાપાટ ખેલી હશે !
For Private And Personal Use Only