Book Title: Jain_Satyaprakash 1946 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨ ] શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૧૧ એ સંશોધક વળી એમ પણ લખે છે કે –“ શક તથા તેમને મળતી ટાળીઓને (સુચીઓના) આ ભેટાને પરિણામે દક્ષિણ તરફ ખસવાની ફરજ પડી અને પરિણામે તેઓ હિદની ઉત્તરેથી ઘણું કરીને એક કરતાં વધારે માગે હિંદમાં દાખલ થયા. આ જંગલીગાની ચઢાઈની રેલ પશ્ચિમ દિશામાં પણ ફેલાઈ અને ઇ. સ. પૂર્વે ૧૪૦ થી ૧૨૦ સુધીના સમયમાં તે પાર્થિયન રાજ્ય તથા બેકિઆ પર એહિતી ધસી આવી.”
“હેલમંદ નદીની ખીણ જે હાલનું સીસ્તાન છે તે સકસ્થાન અથવા શકલોકેાના દેશ તરીકે જાણીતું હતું. શકોએ ઘણું કરીને ત્યાં વહેલી વસાહત કરી હતી. પણ સંભવ છે કે ઇ. સ. પૂર્વેના બીજા સિકામાં થયેલી ભરતી એ પ્રાંતમાં પહેચી હેય.”૮
આ ઉપરનાં ભાષાન્તરિત અવતરણોથી સમજાય છે કે, હિમવંત ઘેરાવલી' પ્રમાણે ઇ. સ. પૂર્વે ૪૬૭ માં મહાવીરનિર્વાણ થયું તેથી પ –શકો એરલ સરોવરના અગ્નિણમાં સરદરિયા નદી ની ખીણના પ્રદેશમાં વસતા હતા અને તેમાં વિભાગ ડેરિયસના સમયમાં ટિબેટની ઉત્તર ને પામે રના પૂર્વમાં આવેલા એશિઆઈ તુર્કસ્થાનનાં કાશ્મર અને યારકંદ શહેવાના પ્રદેશમાં આવીને વસેલો જ હત; પણ આ અવતરણોમાંથી એવી ચક્કસ માહિતી મળતી નથી કે આ શકલેકે સરદરિયા નદીની ખીણના આજુબાજુના પ્રદેશમાં ક્યાંથી અને કયારે આવીને વસ્યા.
સીસ્તાનના પ્રદેશમાંથી ગલી અને અન્યત્ર-સરદરિયા નદી વગેરેના પ્રદેશમાં–વસાહત કરી રહેલી શકપ્રજા કાલાંતરે અન્ય પ્રજાના દબાને લઈ પોતાના મૂળ વતન સીસ્તાન તરફ ધકેલાઈ &તી, કે તે કોઈ અન્ય પ્રદેશની જ મૂળ વતની હોઈ ભિન્ન ભિન્ન સ્થળે વસતી અનુક્રમે સીતાનમાં આવીને વસી હતી, એને નિર્ણય હજુ સુધી થઈ શકયો નથી અને કલ્પિત અનુમાનથી થઈ શકે કણ નહિઆવી સ્થિતિમાં કોઈ પણ પ્રજનું મૂળ વતન અમુક જ હતું કે નહિ, એમ અન્ય પૂરતા પ્રામાણિક ઇતિહાસ વિના ભાગ્યે જ કોઈ કહી શકે. હિન્દના આર્યોએ હિન્દમાંથી ગયેલા અને અને અન્ય અનાર્ય દેશોના અનાર્યોને પોતાના દેશમાં તેઓ આવી વસ્યા ત્યારે પોતાનામાં તેમને સમાવી લીધા એવી સ્થિતિમાં આર્યોનું મૂળ વતન ભારત હતું જ નહિ. તેઓ મય એશિઆ, પૂરેપ કે કેકેસર પર્વતના અમુક મેદાની પ્રદેશના મૂળ વતની હતા અને ત્યાંથી હિન્દમાં આવી વસ્યા છે, એમ માનવામનાવવા જેવાં હાસ્યાસ્પદ સંશોધન થતાં હોઈ, શક પ્રજના મૂળ વતનનું સંશોધન પણ એવી જ ઢબથી જે કરવામાં આવે તો તે પ હાસ્યાસ્પદ જ છે. કપ્રજાને શીથીયન નામથી ઓળખાવી તેમને ભટકતી જંગલી જતમાં ગણાવવી એમાં શેધકાના માનસિક તરંગ સિવાય બીજું કાંઈ પણ સત્ય નથી. શકઝનના મૂળ વતનની વાત જવા દઈએ. હજુ સુધી તે પ્રજાને બીજી પ્રજાએથી જુદી પાડી સ્પષ્ટપણે ઓળખવામાં જ કલ્પનાઓ ગુંચવાઈ ગઈ છે તે જ્યારે ઉકેલાય ત્યારે ખરી.
૮ હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ (ગુરુવ સૌમુદ્વિત)
જેન કાલગણનાને ચાલું સંપ્રદાય ઈ . પૂર્વે પર૭માં વીરનિર્વાણ માને છે. તેની સાથે આ એક મહત્વનું મતાંતર છે. એના લેખમાં એ મતાંતર જ આશ્રય લેવામાં આવ્યો છે.
For Private And Personal Use Only