Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંક ૧૧ ] મહુડીની જૈન પ્રતિમાઓ [૪૦૯ ] ભામંડલ બનાવ્યું છે. બે ભાગના સીધા પટામાં પણ સુંદર વેલબુદી બનાવેલી છે. પાટની બને બાજુમાં ફૂલ ચોકડી, ગજમુખ, વ્યાધ્રમુખ આદિ આલેખેલ છે. ખભા પાછળ એક દંડપટ્ટી છે જે ભામંડલને પકડી રાખે છે. અને તેના ફરતી એક મોટી ગાળ કમાન છે. અમે આ ભામંડલ બહાર કઢાવીને જોયું. વચમાં કરેલું બારીક કોતરકામ બહુ જ સુંદર છે. મૂર્તિના સામેના ભાગમાં લેખ છે જે ઠેઠ પાછળ ચોતરફ ફરત છે. મૂર્તિ સીમેન્ટથી સ્થિર કરી દીધેલી હોવાથી લેખને પાછળ ભાગ તે અમારાથી વંચાય તેમ ન હતો. સામેને ભાગ જે દેખાય તેની કેપી ઉતારી લીધી. અમે બે કેપી ઉતારી હતી તેમાં એકમાં તો આછો પાતળા અક્ષરે ઊઠયા છે. આ લીપીના અભ્યાસીઓ તેને બરાબર ઉકેલ કરી શકે તેમ છે. આ લેખની કોપી વડોદરા રાજ્યના પુરાતત્વ સંશાધન ખાતાના અહેવાલમાં કેટયાકેની મૂર્તિઓને પરિચય ચિત્ર પ્લેટ નં. ૪ એ, ૫ અ પ બ, અને ૬ અમાં આપવામાં આવેલ છે. અને પુરાતત્વ વિભાગના ઉપરી શ્રીયુત હીરાનંદ શાસ્ત્રીજીએ આ મૂતિઓ માટે ચર્ચા કરી છે. જેને સાર હું આગળ આપીશ. એ અહેવાલમાં એ. એસ. ગઢેએ આ મૂર્તિને લેખ આ પ્રમાણે આપે છે. નમ [ ] fસદ [7] ગિરણ ૩v[] જ-ગા-સંશ-રાજા” આ લેખને ભાવાર્થ જોતાં નમસ્કાર મંત્રના બીજા પદને-સિદ્ધિને નમસ્કાર કરેલા છે. વૈગિણ ઉલ્લેખ છે તે પણ કલ્પસૂત્રમાં આવતી વિરાવલીમાં જે વરીશાખાને ઉલ્લેખ છે, તે સમુદાયના આચાર્યો આ મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી હોવાથી વૈરિગણુને ઉલ્લેખ છે. સંધ અને શ્રાવક શબ્દ આજે પણ ભવેતાંબર જૈન સંઘના દરેક અનુયાયીને શ્રાવક કહેવાય છે તેને અંગે પ્રસિદ્ધ જ છે. આ લેખ એમ બરાબર સિદ્ધ કરે છે કે આ મૂર્તિ શ્વેતાંબર જૈન સંઘે બનાવેલી અને “વેતાંબર જૈનાચાર્યે પ્રતિષ્ઠા કરેલી જિનમૂર્તિ છે. આ સાફ શિલાલેખ હોવા છતાં તેને બૌદ્ધ મૃર્તિ કહેવી એ તે અન્યાયની પરાકાષ્ઠા જ કહેવાય. વડોદરાના પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ્ય શ્રીયુત હીરાનંદ શાસ્ત્રી આ મૂર્તિને જૈન મૂર્તિ નહિ કિન્તુ બૌદ્ધ મૂર્તિ હોવાનું જણાવે છે. પરંતુ તેમની આ માન્યતાનું સુંદર અને સચોટ રીતે શ્રીયુત સારાભાઈ નવાબે નિરસન કર્યું છે. એ સંબંધીને તેમને આ લેખ મુંબઈથી પ્રગટ થતા “ભારતીય વિદ્યા” નામના ત્રિમાસિકના પ્રથમ વર્ષના બીજા અંકમાં પ્રગટ થયેલ છે તે જિજ્ઞાસુઓ વાંચી ભે. એ લેખનું અહીં પુનરાવર્તન કરવા નથી માંગત. શાસ્ત્રીજી, મૂર્તિ ઉપર આવે સાફ લેખ હોવા છતાં, શા માટે એને બૌદ્ધ મૂર્તિ માને છે તે વિચારણીય છે. એવું કેટલીયે વાર બન્યું છે કે જેન મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિઓ તરીકે ઓળખાવવામાં આવી હોય. આવી ભૂલે અંગ્રેજ વિદ્વાનોના હાથે થતી હતી અને તેમનાં પગલે પગલે ચાલવામાં આપણા હિન્દી વિદ્વાને પણ જૈન મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિઓ તરીકે સંબોધવાનું સાહસ કરતા હતા. પરંતુ આજે એ યુગ ચાલ્યો ગયે છે. જ્યાં યુકિત, કૃતિ અને તર્કની પ્રતિષ્ઠા છે ત્યાં હું કહું એ જ સાચું” તે ન જ ચાલે. શ્રીયુત શાસ્ત્રીજી કઈ પણ બૌદ્ધ મૂર્તિમાંથી સિદ્ધોને નમસ્કાર, વૈરિંગણ, શ્રાવક આદિ શબ્દોવાળા શિલાલે બતાવશે ખરા? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44