Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી
( ક્રમાંક ૬૮-૬૯થી ચાલુ) મેવાડની ભૂમિમાં પણ ધર્મ જૈન હોવા છતાં શૌર્ય દાખવવાની વેળા પ્રાપ્ત થતાં જરા પણ પાછી પાની ન કરનાર વણિક વીરનો ટોટો નથી રહ્યો ! ઓશવાળ જ્ઞાતિમાં અવતંસસમાં ભામાશાહ વા ભામાશાના નામથી ભાગ્યે જ જનતા અજાણી હેય ! રાજસ્થાનના સુપ્રસિદ્ધ લેખક કર્નલ ટૅડ નિગ્ન શબ્દોમાં એ વીર પુરુષને પરિચય આપે છે
The name of Chama Sah is preserved as the Saviour of Mewar. In Oswal by birth and a Jain by religion, he was the perfect molel of fidelity and devotion. He was the Diwan of the illustrious Rana Pratap-an office which his family had hold for severel generations.
હિંદના ઇતિહાસને અભ્યાસ કરનાર વિદ્યાથી ‘ચિતડ પર સમ્રાટ અકબરની ચઢાઈ અને મહારાણા પ્રતાપે બહાદુરીથી કરેલ બચાવ” એ ઐતિહાસિક બાબતથી માહિતગાર હોય છે જ. એટલે એ સંબંધમાં ઝાઝું લખવું જરૂરી નથી. તેમ “ભામાશા'ને સબંધમાં પણ જૈન-જૈનેતર લેખકે દ્વારા લખાયેલ ઘણું ખ્યાન પ્રાપ્ત થતાં હોવાથી એ સંબંધી પણ વિસ્તાર કરે જરૂરી નથી. આ લેખમાળાનો આશય તે એટલે જ છે કે “અહિંસા પરમો ધર્મ થી જેનાં બીજારોપાણ થાય છે એવા દયામય જૈનધર્મને પાળનાર પણ સમય આવે શુરાતન દાખવવામાં માત્ર પીછેહઠ નથી કરતા. અલબત્ત જૈનધર્મ એ નિતાંત અહિંસા પાલનમાં જ આત્મોન્નત્તિ સમાયેલી છે, એમ કહે છે અને જીવનમાં દયાકરુણ, કિવા સકળ સૃષ્ટિના કડીથી માંડી કુંજર સુધીના પ્રાણીવર્ગ પ્રત્યે અને રંગ કે જાતિને ભેદ ગણ્યા સિવાય સર્વ માનવ ગણ સાથે મૈત્રીભાવ કેળવવાની વાતને જ અગત્ય આપે છે; એ સિવાય ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત થઈ શકતી જ નથી એમ ડિડમનાદે જાહેર પણ કરે છે; એથી વિપરીત વર્તનમાં અર્થાત સમરભૂમિ પર શત્રુસૈન્યનું લેહી રેડવામાં ચકખી ને ઉઘાડી હિંસા થાય છે અને એથી કર્મબંધ પડે છે કે જે ભોગવ્યા વિના આત્માને ચાલી શકતું જ નથી એમ પણ માને છે આમ છતાં જ્યાં સંસારસ્થ આત્માને રાજકીય કે કોટુંબિક ફરજ આવી પડે ત્યાં કાયરતાને ખંખેરી શૂરવીરતા દાખવવાનો માર્ગ ગ્રહણ કરવાનું સૂચન કરે છે. નિર્બળ, ડરપોક કે હતાશ થઈ બેસી રહે એ નથી તો સાચે માનવ કે નથી તે સાચો જેન! કાયરોને જેનધર્મ હેઈ જ ન શકે! ‘જો ભૂરા રે પ ટૂર' જેવું પદ વાપરવામાં આવ્યું છે તે અવશ્ય મનન કરવા જેવું છે એટલે આજે જૈનેતર લેખકે કેટલીક વાર બેજવાબદારીથી ગુજરાતના પતન
For Private And Personal Use Only