Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ અંક ૧] બત્રીસલક્ષણે [૩૧] સમર્થ છું. પણ આ અન્યાય થાય છે એમ મારું હૃદય કહે છે. બીજો કોઈ રસ્તો છે કે નહિ ?” રાજાએ પૂછયું. મહારાજ ! આ વળી શું પૂછયું? વેદવિધિ પ્રમાણે અમે યજ્ઞ કરાવીશું. એ બત્રીસ લક્ષણે જરૂર સ્વર્ગમાં પહોંચી આપને આશીર્વાદ આપશે. આપ ચિંતા ન કરશે. બધાં સારાવાનાં થઈ રહેશે.” રાજાને આ હૃદયહીને ઉપર ક્રોધ ચઢશે પણ ચિત્રશાલાને મેહ છૂટતે નહોતો. બત્રીસ લક્ષણે ચઢે તે જ ચિત્રશાલા તૈયાર થાય એમ છે એમ ભૂદેવોએ તેને ઠસાવ્યું. અનેક પુરાણેનાં પિથાં વીખ્યાં પણ બ્રાહ્મણોને તે યજ્ઞ જ કરાવ હતું, ત્યાં શું ? અને ન છૂટકે રાજાએ હા ભણી. એ જ દિવસે ગામમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યા “જે કોઈ પોતાના છોકરાને યજ્ઞમાં હોમવા આપશે તેને બદલામાં ભારોભાર સુવર્ણ આપવામાં આવશે.” આખા ગામમાં જ ઢઢરે પીટાય, પણ એવું નિષ્ફર હૃદય કાનું હોય કે સગે હાથે પુત્રને મારવા માટે આપે ? જગતમાં બધા કરતાં શ્રેષ્ઠ અને નિઃસ્વાર્થ પ્રેમ હોય તે એક માત્ર માતાનો પ્રેમ છે. પુત્ર ભલે ગમે તે ગાંડે ઘેલે અપંગ હશે છતાં માતા તેને જે વાત્સલ્ય...પ્રેમભાવથી જેણે સંભાળશે તે અનુપમ છે. આર્યાવર્તનો ઈતિહાસ પિકારીને કહે છે કે કેટલીય શાણી માતાઓએ વીરપુત્ર આપ્યો છે, એ બધા વીરતાના પાઠ તો એ પુત્રે માતા પાસેથી જ શીખ્યા છે. માતાઓએ શું કર્યું? આ પ્રશ્ન જ ઉપેક્ષણીય લાગે છે. એના કરતાં માતાઓએ શું નથી કર્યું? આ પ્રશ્ન ઉચિત લાગે છે. આટલું છતાં ય એમાં અપવાદ હોય છે એની કોણ ના પાડશે? આવો જ અપવાદ રાજગૃહીમાં પણ બને. એક દરિદ્રનારાયણની મૂર્તિરૂપ ભૂદેવનું કુટુંબ હતું. બ્રાહ્મણ પત્ની મેહધ, ક્રોધિની અને સ્વાર્થિની હતી. ઘરમાં ખાવાનું ન મલે અને દર વર્ષે એક એક વસ્તી તે વધે. બ્રાહ્મણ પણ ભિક્ષા સિવાય બીજા કામમાં આળસ કરતો. તેને છ એક છેતરાં હતાં. બ્રાહ્મણએ ઉપર્યુક્ત ઢંઢરે સાંભળ્યો. એને વિચાર થયે ભારે અમર કાંઇ કામ કરતા નથી, નથી ભીખ માંગવા જત, નથી સસોઈ કરતે કે નથી પાણીને લોટો ભરી આપતે. રોજ ચોપડીયું ઉઘાડીને બેસે છે અને કાં તો પેલા સાધુડા પાસે જાય છે. એને આપી દીધું હોય તે છૂટકે મટે, ઘરમાં લક્ષ્મી દેવીની કૃપા થશે અને એક પાપ જશે. મારું કે એના બાપનું કદી કહ્યું નથી માનતે માટે ભલે જાય. “સાંભળે છે આ ઢઢેરે?” તેણે બ્રાહ્મણને પૂછયું, “ના કાંઈ વિચાર તે કર્યો નથી. પણ બીજો વિચાર પણ શું કરવાના હતા? કાંઈ મારવા માટે છોકરે એ અપાવાને હતો?” Jain Education Internaઅરે હું કહું તે તે સાંભળે. તમે કાંઈ ભાગા નથી એટલે તમને ક્યાંયથી www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44