Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ [૨૦] શ્રી જેને સત્ય પ્રકાશ ( ૩૬૭માં પાનાનું અનુસંધાન ) શ્રી ઋષભદેવ પ્રભુની બે પ્રકારની અંતકૃભૂમિ થઈ (૧) યુગાંતકૃભૂમિ અને (૨) પર્યાયાંતકૃદભૂમિ. ભગવાન પછી અનુક્રમે અસખ્યાતા પુરુયુગ મેક્ષે ગયા તે યુગાંતકૃમિ અને મગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુર્તમાં મરૂદેવા માતા અંતકૃદકેવલી થઈને મોક્ષે ગયા તે પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરુ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરૂષ અને તે વડે મર્યાદિત જે મેલગામીઓને મેલે જવાને કાળ યુગાંતકૃદભૂમિ. અને પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે કાલને આશ્રીને જે મેક્ષગામીઓને મેક્ષે જવાને કાળ તે પર્યાયાંતકૃભૂમિ કહેવાય. શ્રી ઋષભદેવ પ્રભુ વિશ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહી અને ત્રેસઠ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં રહીને એકદરે વ્યાશી લાખ પૂર્વ ગૃહસ્થાવાસમાં રહીને, એક હજાર વર્ષ સુધી છદ્મસ્થ પર્યાય પાળીને અને એક હજાર વર્ષ જૂના એક લાખ પૂર્વ સુધી કેવળી પર્યાય પાળીને-એકંદર સંપૂર્ણ એક લાખ પૂર્વ સુધી ચારિત્ર પર્યાય પાળીને, કુલ ચોરાશી લાખ પૂર્વ સુધી સર્વ આયુષ્ય પાળીને વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મને ક્ષય કરી આ અવસર્પિણી કાળના સુષમ દુક્કમ નામના ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં માહા વદી ૧૩ (ગુજરાતી પિષ વદ ૧૩) ના દિવસે સવારના ટાઈમમાં અભિજીતુ નક્ષત્રને વિષે ચંદ્રમાના યોગમાં છ ઉપવાસને તપ કરીને દશ હજાર સાધુઓની સાથે અષ્ટપદ પર્વત ઉપર પલ્યકાસને બેસી નિર્વાણ પામ્યા. હે રાજન, તેથી તેમના નિવાણું કલ્યાણકની આરાધના આ પ્રમાણે તારા પુત્રને કરાવજેતે દિવસ ચઉવિહાર ઉપવાસ કરે. (શક્તિ ન હોય તો તિવિહાર કરે છે. રત્નનાં પાંચ મેરૂ કરવા, તેમાં ચાર દિશાએ ચાર નાના મેરૂ કરવા, રનના ન બને તે ધીના કરવા. તેની પાસે ચાર નવાવર્ત કરવા. દીપ-ધૂપ આદિ ઘણા પ્રકારની પૂજા કરવી. શ્રી જામ sucજનતા નમ:” એ પદની વી નવકારવાળી ગણવી. તે તપને દિવસે પૌષધ કરે. પારણને દિવસે સુપાત્રદાન આપવું. સાથીઓ વગેરે બાર-બાર કરવા. આ રીતે દરેક માસની તેરશની આરાધના તેર માસ અથવા તેર વર્ષ સુધી કરવી જેથી સર્વ કર્મને ક્ષય થાય છે. અનંતવીર્ય રાજા, ગાંગિલ આચાર્યની પાસેથી સર્વવૃત્તાંત સાંભળી પુત્રને વ્રત અંગીકાર કરાવી સ્વસ્થાનકે ગયે, ગુરુમહારાજ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. પિંગલકુમારને વ્રતની આરાધના કરતાં તેર મહિના થયા ત્યારે તે સુંદર સ્વરૂપવાળા થયે. રાજા રાણી આદિ સર્વ લેકે ખુશી થયા. ત્યાર પછી કુમારે ગુણસુંદરી સાથે લગ્ન કર્યા. હે ગૌતમ, ત્યારપછી પિંગલ કુમારને રાજ્ય સોંપી અનંતવીર્ય રાજા અને રાણી ચારિત્ર ગ્રહણ કરી શ્રી શત્રુંજય તીર્થને વિષે અણુશાણ કરી એક્ષપદને પામ્યા. પિંગલા રાજાએ તેર વર્ષ પર્યન મેરૂત્રદશીની આરાધના કરી. એ તપ પૂર્ણ થયે ઉઘાપન મહત્સવ કર્યો. તેમાં તેર શિખરબંધ મંદિર બંધાવ્યાં, તેમાં રત્નની-સુવર્ણની અને રૂપાની તેર તેર પ્રતિમાઓ સ્થાપન કરી, પાંચ મેરૂ ચઢાવી, તેર વખત શ્રી સિદ્ધાચલજીને સંધ કાઢો. છેવટે મહસેન કુમારને રાજ્ય સેપી-ચારિત્ર ગ્રહણ કરી એક્ષપદને પામ્યા. એ રીતે મેરિયાદશી નામનું પર્વ પિંગલ રાજાથી પ્રગટ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44