Book Title: Jain Satyaprakash 1939 01 SrNo 42
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ મા ચા ૨. દિક્ષા-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રો.વિજયેન્દ્રસૂરિજી મહારાજે ભાઇ હિમ્મતમલજીને માગસર સુદ દશમના દિવસે આગરામાં દીક્ષા આપી. દીક્ષિતનું નામ હંસવિજયજી રાખવામાં આવ્યું. (૨) મહીજમાં પટેલ ઈશ્વરદાસને પૂજા આચાર્ય મહારાજશ્રી વિજય સૌભાગ્યસુરિજી મહારાજે પાડિવ મુકામે માગસર વદ દશમના દિવસે દીક્ષા આપી. દીક્ષિતન નામ શુભવજયજી રાખવામાં આવ્યું. (૩) કુવાળવાળા ભાઈ જીવતવાળ કલાચંદ ખેતસીને પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી સુરેન્દ્ર વિજયજી મહારાજે માગસર સુદી દશમના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ જયંતવિજયજી રાખવામાં આવ્યુ. (૪) ઊંમરીમાં મનફરા (કચ્છ ના રહીશ ભાઈ ગેલયદ કરમશીને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસુરિજી મહારાજે માગસર વદ પાંચમા દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ કારવિજયજી પાડી તેમને પૂજ્ય જનકવિજયના શિષ્ય બનાવવામાં આવ્યા કાળધર્મન્સેધવા (નીમાડ)માં માગસર વદ છઠની રાતે પૂજ્ય મુનિરાજ શ્રી. ગૌતમસાગરજીના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મસાગરછ કાળધર્મ પામ્યા. ગણિપદ–ઇડરમાં માગસર વદ પાંચમના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયલબિસૂરિજી મહારાજના હાથે પૂજ્ય મુનિરાજ શ્રી. જયંતવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. મુલતવી રહ્યું-થી. ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પાટણમાં હેમસારસ્વત સત્ર ઉજવાવાનું હતું તે હાલમાં મુલતવી રહ્યાના સમાચાર પરિષદના મંત્રી તરફથી જાહેર કરવામાં આવ્યા છે. સખાવત–શેઠશ્રી માણેકલાલ ચુનીલાલે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસુરિજી મહારાજના ઉપદેશથી કદંબગિરિતીને રૂા. એકત્રીસ હજાર ભેટ આપ્યા. સ્વી કાર ૧ પાઠય પવેશ, ૨ રાયસેણિયસુત્તને અગ્રેજી અનુવાદ ભાગ ૧, ૩ અર્ધમાગધિગ્રામર (અંગ્રેજી)–આ ત્રણે પુસ્તકના કર્તા અને પ્રકાશક છે. હિરાલાલ બી. ગાંધી. એમ. એ. શાંતિવિલા, ગોપીપુરા સુરત. ૪ શ્રી નેમિપઘસ્તવન માળા–કર્તા પૂ. આ. ભ. શ્રી વિજયપઘસૂરિજી પ્રકાશક-શાહ ચંદુલાલ ઉમેદચંદ રાયચંદ, પાંજરા પોળ, અમદાવાદ. મૂલ્ય બે આના. ૫ શ્રી નમસ્કાર મહામંત્ર-કર્તા પૂ. મુ. મ. શ્રી. ભદ્રકવિજયજી. પ્રકાશક ગણપતલાલ મેહનલાલ વાલચંદ. નિયાણી (બેલગામ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44