Book Title: Jain Satyaprakash 1936 03 SrNo 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ શ્રી જૈન સત્ય પ્રકાશ ચિત્ર બાલચંદ્રસૂરિ બનાવ્યા. જેમની આચાર્ય પદવીના ઉત્સવમાં વસ્તુપાલે એક હજાર કામ ખર્યા હતા.૧૦ એ બાલચંદ્રસૂરિજી મેંઢેરાના જ હતા. આવી જ રીતે આબુના ૧૧વસ્તુપાળ તેજપાળના લુણવસતિમાં એક શિલાલેખ છે જે આ વસ્તુ ઉપર મહત્વનો પ્રકાશ પાડે છે. ગુજરાતના મહામાત્ય મંત્રીશ્વર વસ્તુપાળ અને તેજપાળ તે સુપ્રસિદ્ધ છે, અને તેઓ પરમ જૈનધર્મી હતા એમાં પણ કોઈનેયે સંદેહ નથી. તેઓ જ્ઞાતિએ પોરવાડ હતા. તેમાં તેજપાળનું દ્વિતીયવારનું લગ્ન પાટણવાસી મોઢજ્ઞાતીય ઠકુર ઝાહણ અને આશાદેવીની પુત્રી સુહડાદેવી સાથે થયું હતું. આ ઉપરથી એક વસ્તુ બરાબર પુરવાર થાય છે કે મોઢજ્ઞાતિ પરમ જનધમી હતી અને તે વખતે તેમને સમસ્ત જેનો સાથે રેટી અને બેટી વ્યવહાર પ્રચલિત હતો. તે વખતના જેનોની આ ઉદારતા અને આજની સંકુચિતતા યાદ રાખવા જેવી છે. એટલે મોઢ જ્ઞાતિયે જૈનસંધને સુંદર રત્નો આપ્યાં છે એમાં સંદેહ નથી. મહાન પ્રભાવક, સમર્થ જૈનાચાર્યના ઉપદેશથી આ મઢેરા નગરમાંથી મોઢજાતિ તૈયાર થઈ અને તે મોઢજાતિ જૈનધર્મ પાળતી, આ મારું કથન માત્ર અનુમાન જ નથી કિન્તુ અનેક જૈન મંદિરના શિલાલેખ આજે તે વાતની સાક્ષી પુરે છે કે મોઢ જાતિ જૈન હતી. એ જાતિ જૈન હતી એ સાથે જૈનધર્મને અને જૈનસંધને દીપાવે તેવાં મહાન કાર્યો પણ કરતી, અને એ રીતે આજે એ મઢ જાતિને ઇતિહાસ ગૌરવાન્વિત છે. એની સાક્ષીરૂપે પાટણના પ્રસિદ્ધ પંચાસરા પાર્શ્વનાથજીમાં, પાટણના સ્થાપક, નરેશ વનરાજ ચાવડાની જમણી બાજુએ જ, મેઢાાતિના મંત્રી આશાકની મૂર્તિ અદ્યાવધિ વિદ્યમાન છે તેની નીચે નીમ્ન લેખ છે – “(१) संवत [९/०१ वर्षे वैशाख शुदि ९ शुक्रे पूर्वमांडलिवास्तव्य-मोढરાતીજ--રાજેન્દ્ર (૨) – નાના છે. કુકીસમમ 7. મારા સસFIRIR . . . (३) योपार्जितेषा अस्मिन् महाराजश्रीवनगजनिहारे निजकीर्ति वहीतान . . . (४) कारितः तथा च श्रीआशाकम्य मूर्तिरेय सुत ठ. अरिसिंहन कारिता તિષ્ટિતા . . . (૫) સંવ 7 iાસ શ્રીરાT(T) નુસંતાને શિષ્ય શ્રી . . . . . (૬) ફે મિ : મંગારું ગ્રી: છે એમ મરતું ( સારાભાઈ નવાબવાળું “જૈન ચિત્રકલ્પ પ” પૃ૦ ૧૦પ, ચિત્રપરિચય) વાચકોને આ ઉપરથી બરાબર ખાત્રી થશે કે મોઢજ્ઞાતિ જૈન હતી. જૈનધર્મના ઈતિહાસમાં મેંઢેરાએ, મોઢગ છે અને મોઢજ્ઞાતિએ અનેક સુવર્ણ પાનાં ઉમેર્યા છે. કોઈ ઇતિહાસવિદ્દ તેને માટે પ્રયત્ન કરી એ સુવર્ણ પાનાં ઉખેળી મઢેરા મહાતીર્થ નામને બરાબર સફલ કરી આપે! સાથે આ તકે વિનતિ કરી લઉં કે કોઈ સમર્થ મહા ૧૦. “જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” ૧૧. તુએ-ઈતિહાસ પ્રેમી નિમહારાજ શ્રીજયન્તવિક છે. સંપાદિત “ અબ્દ-પ્રાચીન જૈન-લેખ-સાહ”માં લુવતિનો લેખ. લેખ નંબર ૨૬૨, પૃ. ૧૧૩, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44