Book Title: Jain Sanatan Vitrag Darshan Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 3
________________ 888888 જેને સનાતન વીતરાગ દર્શન ---- જ્ઞાનસ્વરૂપ આત્મા आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम् । परभावस्य कर्तात्त्मा मोहोऽयं व्यवहारिणाम् ॥ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવોનો કર્યા છે એમ માનવું (તથા કહેવું) તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય ચેતનામાત્ર પરિણામ કરે છે. કેવો હોવાથી? કારણ કે આત્મા પોતે ચેતન પરિણામ માત્ર સ્વરૂપ છે. ચેતન પરિણામથી ભિન્ન જે અચેતન પુદ્ગલ પરિણામરૂપ કર્મ તેને કરે શું? અર્થાત નથી કરતો, સર્વથા નથી કરતો. ચેતનદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે એવું જાણપણું, એવું કહેવું મિથ્યાષ્ટિ જીવોનું અજ્ઞાન છે. ભાવાર્થ આમ છે કે - કહેવામાં એમ આવે છે કે જ્ઞાનાવર્ણાદિ કર્મનો કર્તા જીવ છે, તે કહેવું પણ જુદું છે. શ્રી સમયસાર - કળશ ૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 202