Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 13
________________ જે આજે જેને સનાતન વીતરાગ દર્શન - - (૯) છેવટનો નિર્ણય (૧) સનાતન વીતરાગ દિગંબર પરંપરા એ જ સત્યધર્મ છે. સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ તેનો સ્વીકાર. (૨) એ મોક્ષમાર્ગના નિમિત્ત વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર છે. “સહજ આત્મસ્વરૂપ સર્વજ્ઞદેવ પરમગુરુ” (માંગલિક) (૩) સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ - સુખ માટે ધર્મ તો તેને જ કહેવાય જેવો વીતરાગ સ્વભાવ છે એવો વીતરાગ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય. જે ગુણો અનંત શક્તિરૂપે સ્વભાવમાં છે તે જ પર્યાયમાં પ્રગટ થાય તેને ધર્મ કહેવામાં આવે છે. જે આત્મા આવા ધર્મરૂપે પરિણમી જાય તેને પરમાત્મા કહેવાય છે. આવા ધર્મની શરૂઆત માટે પ્રથમ શ્રદ્ધાનમાં એમ લેવાનું છે કે હવે આ ભવમાં બીજું કાંઈ કરવા જેવું નથી. માત્ર એક “નિર્વિકલ્પ અનુભૂતિ' જ કરવા જેવી છે. અનુભૂતિ એ જ જૈન શાસન છે. સુખનો આ જ ઉપાય છે. (૫) આવી નિર્વિકલ્પ દશા પ્રકટ થાય તે પહેલા કયા વિકલ્પ હોય? (૧) સંપૂર્ણ જીવન જ્ઞાયકની જ આરાધના. (૨) તે માટે આગમના અવલંબનથી તત્ત્વનો યથાર્થ નિર્ણય ? હું જ્ઞાનઆનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને જીવનના પ્રત્યેક સમયે ભેદજ્ઞાન હું સર્વથા સર્વથી ભિન્ન છું. આ પ્રયોગાત્મક પદ્ધતિ છે. (૩) તે માટે નિયમિત અભ્યાસનો મહાવરો વીતરાગી પરમાગમોનો અભ્યાસ...... સત્સંગ અને સ્વાધ્યાય (૪) બાકીના સમયમાં દેવ-ગુરુ-શાસ્ત્રની આરાધના. (૫) સંપૂર્ણ જીવન સ્વભાવને અનુરૂપ સંયમીત (મર્યાદીત) અન્યાય, અનીતિ, અભક્ષ્યનો ત્યાગ.... સપ્ત વ્યસનનો ત્યાગ, કંદમૂળ અને રાત્રિ ભોજનનો ત્યાગ.... આટલું જ બસ.... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 202