________________
જે આજે જેને સનાતન વીતરાગ દર્શન - - (૯) છેવટનો નિર્ણય (૧) સનાતન વીતરાગ દિગંબર પરંપરા એ જ સત્યધર્મ છે. સમ્યગ્દર્શન
જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એક જ છે. એક હોય ત્રણ કાળમાં
પરમારથનો પંથ તેનો સ્વીકાર. (૨) એ મોક્ષમાર્ગના નિમિત્ત વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર છે. “સહજ
આત્મસ્વરૂપ સર્વજ્ઞદેવ પરમગુરુ” (માંગલિક) (૩) સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ - સુખ માટે ધર્મ તો તેને જ કહેવાય
જેવો વીતરાગ સ્વભાવ છે એવો વીતરાગ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય. જે ગુણો અનંત શક્તિરૂપે સ્વભાવમાં છે તે જ પર્યાયમાં પ્રગટ થાય તેને ધર્મ કહેવામાં આવે છે. જે આત્મા આવા ધર્મરૂપે પરિણમી જાય તેને પરમાત્મા કહેવાય છે. આવા ધર્મની શરૂઆત માટે પ્રથમ શ્રદ્ધાનમાં એમ લેવાનું છે કે હવે આ ભવમાં બીજું કાંઈ કરવા જેવું નથી. માત્ર એક “નિર્વિકલ્પ અનુભૂતિ' જ કરવા જેવી છે. અનુભૂતિ એ જ
જૈન શાસન છે. સુખનો આ જ ઉપાય છે. (૫) આવી નિર્વિકલ્પ દશા પ્રકટ થાય તે પહેલા કયા વિકલ્પ હોય?
(૧) સંપૂર્ણ જીવન જ્ઞાયકની જ આરાધના. (૨) તે માટે આગમના અવલંબનથી તત્ત્વનો યથાર્થ નિર્ણય ?
હું જ્ઞાનઆનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને જીવનના પ્રત્યેક સમયે ભેદજ્ઞાન હું સર્વથા સર્વથી ભિન્ન છું. આ પ્રયોગાત્મક
પદ્ધતિ છે. (૩) તે માટે નિયમિત અભ્યાસનો મહાવરો
વીતરાગી પરમાગમોનો અભ્યાસ...... સત્સંગ અને સ્વાધ્યાય (૪) બાકીના સમયમાં દેવ-ગુરુ-શાસ્ત્રની આરાધના. (૫) સંપૂર્ણ જીવન સ્વભાવને અનુરૂપ સંયમીત (મર્યાદીત) અન્યાય,
અનીતિ, અભક્ષ્યનો ત્યાગ.... સપ્ત વ્યસનનો ત્યાગ, કંદમૂળ અને રાત્રિ ભોજનનો ત્યાગ.... આટલું જ બસ....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org