Book Title: Jain Prashnottarmala
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 121
________________ ૧૧૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા એકદેશને સ્પર્શીને રહેલ છે. જ્યારે ગુણ-પર્યાયો એ દ્રવ્યની સાથે તાદાભ્યસંબંધથી વર્તે છે. દ્રવ્યના પ્રદેશ પ્રદેશે લોહાગ્નિની જેમ ગુણપર્યાયોનો સંબંધ છે. દ્રવ્યના સર્વપ્રદેશોમાં ગુણ પર્યાયોની વૃત્તિ છે. માટે ઉપરના દૃષ્ટાન્તોની જેમ ગુણ-પર્યાયો દ્રવ્યમાં નથી. પરંતુ અભેદભાવે દ્રવ્યમાં ગુણપર્યાયો વર્તે છે. પ્રશ્ન- [૩૦] ગુણોના ભેદો શું છે ? ઉત્તર- હા, ગુણોના મુખ્યત્વે બે ભેદો છે. (૧) સામાન્ય ગુણ અને વિશેષગુણ. સામાન્યગુણના ૧૦ ભેદો છે અને વિશેષગુણના ૧૬ ભેદો છે. એમ ગુણોના કુલ ૨૬ ભેદો છે. પ્રશ્ન- [૩૦૫] સામાન્ય ગુણ એટલે શું ? અને વિશેષ ગુણ એટલે શું ? ઉત્તર- સર્વે દ્રવ્યોમાં જે ગુણો વર્તે તે સામાન્યગુણ, અને પ્રતિનિયત અમુક જ દ્રવ્યમાં જે ગુણો વર્તે તે વિશેષગુણ કહેવાય છે. પ્રશ્ન- [૩૦૬] સામાન્ય ગુણો કયા કયા ? ઉત્તર- (૧) અસ્તિત્વ : દરેક દ્રવ્યો સ્વરૂપે સરૂપે છે. વિદ્યમાન સ્વરૂપ વાળાં છે (૨) વસ્તુત્વ : દરેક દ્રવ્યો પ્રતિસમયે પોતપોતાની અર્થક્રિયા કરે જ છે. ગુણો અને પર્યાયોનું વસવું તે વસ્તુત્વ ગુણ. (૩) દ્રવ્યત્વ : દ્રવીભૂત થવાપણું. દરેક દ્રવ્યો પ્રતિસમયે પૂર્વ-ઉત્તર પર્યાયરૂપે બદલાતા જ રહે છે. પરિવર્તન પામે જ છે તે. (૪) પ્રમેયત્વ ઃ મતિ આદિ જ્ઞાનો વડે જાણવા લાયકપણું સર્વે દ્રવ્યોમાં છે. (૫) અગુરુલઘુત્વ દરેક દ્રવ્યો પ્રતિસમયે નવા નવા પર્યાયો પામવા છતાં પોતાના મૂળ દ્રવ્યસ્વભાવમાંથી કદાપિ ગ્રુત થતા નથી તે. જેમ કે સોનાના હાર કડુ-કુંડલ બનવા છતાં સોનાપણાથી કદાપિ તે દ્રવ્ય ટ્યુત થતું નથી તે અગુરુલઘુત્વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162