Book Title: Jain Dharm Vikas Book 02 Ank 07
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
પૂજય આચાર્યદેવ નિમિત્તે થયેલા દેવવંદન.
૨૩૩
૩ ઘાટ. બાળબ્રહ્મચારી આચાર્યશ્રીના સ્વગમનના તાર દ્વારા સમાચાર મળતાં ખેતરવસીના પાડાના ઉપાશ્રયે સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ તેમના માનમાં શહેરના બધા બજારો બંધ રાખવામાં આવ્યાં હતાં.
૪ ધનપુર. સમાજોદ્ધારક આચાર્યપ્રવરના શોકજનક અવશાનના તારથી સમાચાર મળતાં સાગરના ઉપાશ્રયે પન્યાસશ્રી લાભવિજયજી, ૫. શ્રીવિકાશવિજયજી આદિ અને સાધ્વી સમુદાયે સકળ સંઘની સાથે દેવવંદન પિસ વદિ ૩ ના કરેલ તેમજ શહેરના બધા બજારો તેમના માનાથે બંધ રાખવામાં આવ્યાં હતાં.
૫ વાંધારી. (મારવાડ) રેવતાચલઉદ્ધારક આચાર્યશ્રીના કાળધર્મના તારદ્વારા સમાચાર મળતાં તેઓશ્રીના શિષ્ય આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજીના અધ્યક્ષ પણું નીચે સકલ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામમાં પાણી પાળવા સાથે મુંગા જાનવરોને ઘાસ તથા જાર છુટા હાથે નાંખવામાં આવી હતી.
૬ કાઢનાથ (મેવાડ) ચિત્રકુટઉદ્ધારક આચાર્યશ્રીના વિરહના જન દ્વારા સમાચાર મળતાં ઉપાધ્યાયશ્રી દયાવિજયજીના અધ્યક્ષપણું નીચે સકળ સંઘે દેવવંદન કરેલ તેમજ ગામમાં પાખી પાળવામાં આવી હતી.
૭ પઢિાળી. (મેવાડ) પૂજ્ય આચાર્યદેવ પિસ સુદિ પૂર્ણિમાના ઉદયપુરથી વિહાર કરી પિસ વદિ ૧ ના એકલિંગજી પધારતાં, તબિયતની અસ્વસ્થતા વધતા એકલિંગજી રોકાવાને નિશ્ચય કરી વૈદ્યકીય સારવાર માટે ઉદયપુર માણસ દ્વારા આચાર્યદેવની તબીયતના સમાચાર મોકલાવતાં, ઉદયપુરથી અનેક શ્રાવકે ડોકટરને સાથે લઈને મોટરથી આવતા શારિરીક ચિકિત્સા કરતાં અંતિમ સ્થિતિ જણાતા, સાથેને મુનિગણ પૂજ્ય આચાર્યશ્રીને આરાધના કરાવવા, તેમજ સ્વસા કરવામાં રોકાઈ ગયા. આ રીતે આરાધના કરાવતા પિષ વદિ ૩ ના ક૫-૪૦ મિનિટે વીર-વીર-વીરના અવનીના ઉદ્ગાર વચ્ચે આત્મા આ ફાની દુનિઆના દેહપિંડમાંથી અલેપ થઈ જતા દરેક આભા બની ગયા. છતાં હૃદયને મજબુત કરી અંતિમ વિધિ વિધાન કરી દેહને અગ્ની સંસ્કાર કરવા સંઘને સોંપી દીધા. બાદ પન્યાસ મનહરવિજયજી, પન્યાસ સંપતવિજયજી આદિ શિષ્ય પ્રશિષ્યાદિ મુનિગણે સકળ સંઘની સાથે દેવવંદન કરેલ, તેમજ ગામમાં તેમના માનાથે પાખી પાળવામાં આવી હતી.
૮ ૩૬થપુર. (મેવાડ) જેનશાસનને વિજયધ્વજ ફરકાવનાર આચાર્યદેવશ્રીના બિમારીના સમાચાર મળતાં, ચિંતાતુર હૃદયે તેઓશ્રીના શુભ સમાચારોનો આશા સેવવા છતાં તે આશા ફલિત ન થતાં સ્વર્ગવાસને અશુભ સમાચાર માણસ દ્વારા મળતાં, ઉદયપુરથી અનેક શ્રાવકે ઝડપી વાહનો દ્વારા એકલિંગજી પહોંચી ત્યાંથી આચાર્યશ્રીને શબને ઉદયપુર લાવી, સોનેરી તાસ અને સોનેથી રસેલા ઈંડામાંથી બનાવેલ ભવ્ય માંડવીમાં આચાર્યશ્રીના દેહને સ્થાપિત કરી,

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52