Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ જ ન ધર્મ પ્રકાશ. મનમાં એક જાતના વિચાર ચાલતા હોય, મોઢે બીજી ભાષા બોલાતી હોય અને કાર્ય ત્રીજું જ ચાલતું હોય તેની ફલનિષત્તિ શું થવાની ? અર્થાત્ કાંઈ નહીં. આપણી * દરેક ધર્મક્રિયામાં એવો જ અનુભવ આપણને મળે છે, એ વસ્તુ આપણે ભૂલવી જોઈએ નહિ. કેવળ કીતિના લોભે બાહ્ય આડંબર અને ભપકે કરી ધર્મધુરંધરને ઇકાબ ધારણ કરી અન્યચિત્તે લોકવિરુદ્ધ અનેક ઘણાસ્પદ કાર્યો કરનારાઓ શું ફળ મેળવી શકતા હશે ? એ વિચારણીય વરતુ છે. ધર્મક્રિયાઓ અને ધર્મના અનુષ્ઠાને લોકેમાં વાહવાહ બોલાવવા પૂરતા જ હોય એવી અનુચિત કહપના પણ કાઈ કરી ન શકે. ધર્મ ક્રિયાઓનો મુખ્ય ઉદ્દેશ મનના આંદેલને સુધારવાને જ હોઈ શકે. મનની સુધારણ કરવાનું કાર્ય ક્રિયાથી સધાતું હોય તે જ ધર્મક્રિયાને હેતુ સફળ થયો ગણાય, અન્યથા ધર્મક્રિયા કેવળ દેહદંડરૂપ જ નિવડવાની. ધર્મક્રિયા એ વસ્તુ ખુદ ધર્મરૂપ નથી પણ ધર્મના સાધનરૂપ એ વસ્તુ છે ! મનના આંદલને આ જતિને સુસંવાદી થઈ એકેક પગલું આગળ વધવા માટે ઉપયોગી નિવડે તે જ આપણે યત્કિંચિત ધર્મ સાધના થઈ એમ ગણાય. એમ ન થતું હેય અને અનુષ્ઠાન પહેલાં આપણે જે ભૂમિકા ઉપર હતા ત્યાં જ અટકી જતા હોઈએ તે આપણું એ અનુષ્ઠાન કેવળ કષ્ટક્રિયા જ થવાની ! ઉલટાની દેવના સહભાગી આપણે થઈ ગયાં હોઈએ એવો સંભવ ઉત્પન્ન થવાને. આપણે શ્રાવક સૂત્રને મોઢે ઉચ્ચાર કરતા હોઈએ ત્યારે તેમાં દર્શાવેલ દરેક દેશ પર આપણે પિતાને કયાં સુધી સંબંધ આવે છે, આપણે પોતે એ દેશમાં કેટલા સંવાએલા છીએ એને વિચાર ઉપન્ન થ જોઈએ અને મનમાં ધ્રુજારી છૂટવી જોઈએ. આપણુ પશ્ચાત્તાપનો વેગ વધવો જોઈએ. જે પ્રાણીના સંબંધમાં આપણી ભૂલ થએલી હેય તેના પ્રત્યે અશ્રુભર્યા નયને નત મસ્તક થઇ ક્ષમાની યાચના મનમાં વધી જવી જોઈએ અને ફરી એવી ભૂલ ન થાય એ માટે સાવચેતી જાગવી જોઈએ. મતલબ કે મનના પ્રદેશ ઉપર ભારે આંદોલન થવા જોઈએ. દ્રયમનથી લગાડી ભાવમન સુધીને પ્રદેશ કરુણુ ભાવથી રંગાઈ ગયે હે જોઈએ, મનના ભાવો જ બદલાઈ ગએલા હોય એટલે એનું પરિણામ દવેછા, વાસના કે સામાન્ય વિચારો ઉપર પડે અને સ્થૂલ શરીરમાં તેના પડઘા પડ્યા વગર રહે જ નહીં. માનવને સુધારવાને એટલું જ નહીં પણ માનવને માનવપણું આપવાને ધર્મશાસ્ત્રકારોએ એ સીધે જ માર્ગ શોધી કાઢેલો છે. એને આપણે ધર્મ જેવા પવિત્ર નામે ઓળખીએ. ધર્મ-સાધનાને એ માર્ગ આપણે અનુસરતા શીખીએ. સારાંશ ધર્મક્રિયા સફળ થવાનો મુખ્ય અર્થ આપણી મનભૂમિકા ઉપર કેવું આદેલન થાય છે તે ઉપરથી જાણવાને હોય છે. મને ભૂમિકા ઉપર કોઈ પણ જાતનું આંદોલન થયું જ ન હોય તે બધું છાર ઉપર લીંપણું જ સમજી લેવાનું ! એવી રીતે મને ભૂમિકા ઉપર શુભ પરિણામ લાવવા માટે પહેલી શરત એ છે કેતે માટેના સૂત્ર, અર્થ, સંહિતા શબ્દના આરોહ અવરોહ અને તેનું અંતરંગ અને હેતુ એ બધું સાધકે સમજી લેવાની જરૂર છે. એ સમજી લેવાથી દરેક શબદના ઉચ્ચાર સાથે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28