________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મે ]
શું એ હાર ટોડલે ગળી ગયે ?
૧૬૭
કે આપણા માલતી નામના ઉદ્યાનમાં ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી સપરિવાર પધાર્યા છે. આ સમાચાર સાંભળતાં જ સૈ ઘણા ખુશી થયા અને પ્રભુના દર્શનાર્થે જઈ તેમની અપૂર્વ વાણીને લાભ લેવા સાએ નિશ્ચય કર્યો. મંત્રીશ્વરને રાજાએ આ વધામણીમાં સારી પહેરામણી કરી.
રાજમાતા–બેટા, દમયંતી ! તારી શી ઇચ્છા છે?
દમયંતી–માસીબા ! પ્રભુનાં દર્શન કરી તેમની વાણી સાંભળીને પછી હું વિદાય થવાની ઇચ્છા રાખું છું. મહ૬ પુણ્ય મળેલો આ લાભ જતો કરી શકાય નહિ. અનાયાસે પ્રાપ્ત થયેલું સંતપુરુષેની વણીનું આલંબને કેમ જતું કરી શકાય ?
રાજમાતા બેટા! તેં બહુ જ સારો વિચાર કર્યો. ઘણુ કાળે પ્રભુ આ તરફ પધાર્યા છે. આજે આપણો દેશ અને રાજ્ય પવિત્ર થયાં છે, આપણાં સદભાગ્ય છે કે પ્રભુના દર્શનને આ યોગ આપણને અનાયાસે મળે છે.
ઇંદુમતી–માતાજી! પ્રભુનાં દર્શન કરવાની અમને ઘણી હોંશ છે.
સુનંદા–માતાજી. માતાજી ! જેનું આપણે હમેશાં ધ્યાન ધરીએ છીએ, તે પ્રભુ કેવા હશે? મારી જિંદગીમાં તે પરમાત્માને જોવાનો આ પ્રથમ પ્રસંગ છે.
રાજમાતા-બેટા! ભગવાન આ વખતે ઘણુ લાંબા કાળે આ તરફ પધારે છે. તારા જન્મ પછી તેઓ આ તરફ પધાર્યા નથી, જેથી તેમનું પવિત્ર ર્શન તને ક્યાંથી થયું હોય?
સુનંદા–માજી ! પ્રભુ આપણા દેશ તરફ આમ લાંબે કાળે કેમ આવતા હશે?
રાજમાતા-બેટા ! આપણા દેશની આજુબાજુ કેટલાક અનાર્ય પ્રદેશ છે. એટલે જિનેશ્વરદેવ જ્યારે આપણી પાસેના આર્ય પ્રદેશ તરફ વિચરતા હોય ત્યારે આ તરફ આવી ચઢે છે, પરંતુ બીજી તરફ વિચરતા હોય ત્યારે અનાર્ય પ્રદેશમાં થઈને આ તરફ પધારવું બહુ મુશ્કેલ છે, એટલે આપણે દેશને તેમને લાભ છેડે મળે છે.
સુનંદા—માતાજી ! અનાય પ્રદેશમાંથી આપણુ પ્રદેશમાં કેમ ન આવી શકાય ?
રાજમાતા–બેટા! આવી શકાય ખરૂં પરંતુ અનાર્ય પ્રદેશમાંથી પસાર થતાં સાધુપુરુષોને ઘણું સંકટ વેઠવું પડે છે. અનાર્ય પ્રજા માંસાહારી હોવાથી આહાર-પાણીની મુશ્કેલી, નિર્દય મનુષ્યને ભય, ક્રર પ્રાણીઓનો ભય, નાસ્તિક નૃપતિઓ અને પ્રજાને ભય. આવા બીજા ઘણુ ઘણુ ભયો આ પ્રદેશમાંથી પસાર થતાં સાધુપુરુષને વેઠવા પડે.
સુનંદામાજી ! પ્રભુને ભય કે ન હોય ? ભય રાખે તે પ્રભુ કેમ કહેવાય ?
રાજમાતા–એટા પ્રભુને કોઇને ભય હોતો નથી, તેઓ સદા અમય જ હોય છે, તેમનું શરીર-સઠાણ એવું હોય છે કે તેમને કેઈ ઉપદ્રવ કરી શકતું નથી. ચરમશરીરી અને તે જ ભવે મોક્ષમામી હોવાથી સર્વ પ્રકારના કલેશે-ઉપદ્રને તેઓ તરી ગયા હોય છે, એટલે સર્વ સ્થાને સર્વકાળે જિનેશ્વરદેવ સદાય નિર્ભય જ હોય, પરંતુ તેમની સાથેના
For Private And Personal Use Only