Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 2
________________ પ્રસંગો” પુસ્તક વિષે કેટલાક અભિપ્રાય) 'પ.પૂ. આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિ મ. :... નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા.. આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબન રૂપ બને તેવો પણ છે,...” મુનિ શ્રી જયપદ્રવિજયજી : “અનંત કાળે મળેલ માનવ ભવમાં શ્રેષ્ઠ કમાણી કેવી રીતે થાય ? આટલા અલ્પ આયુષ્યમાં અનંતા કર્મોનો નાશ કેવી રીતે કરવો ? આવા ઘણા બધા પ્રશ્નોનો જવાબ સુંદર જૈન આદર્શ પ્રસંગોના ૩ ભાગ આપશ્રીએ મહેનત કરીને જૈનો તથા સર્વ સમક્ષ મૂક્યા તે વાંચવાથી જ મળી જાય છે. આપશ્રીનું કાર્ય ખૂબ પ્રશંસનીય છે...' (મુનિ શ્રી યુગદર્શનવિજયજી : “જૈન આદર્શ પ્રસંગો પુસ્તક ખૂબ વાંચવા જેવા છે. પહેલો પ્રસંગ વાંચ્યા પછી પુસ્તક પુરું ન થાય ત્યાં સુધી મૂકવાનું મન થતું નથી. સારા શ્રાવકોની અનુમોદના આ રીતે આ પુસ્તક વાંચનારા ઘણાં બધાં કરતાં હશે અને ઉત્તમ મનોરથો સેવતા થઈ ગયાં હશે તે બધા જ પુણ્યાનુબંધી પુણ્યના ભાગી આપશ્રી બન્યા છો. આ ચોપડી મેં જ્યારે જ્યારે વાંચી ત્યારે ત્યારે લગભગ તે પૂરી કરીને જ ઊભો થયો છું. આવો અનુભવ અનેક વાચકોને થયો હશે. વિશેષમાં પ્રત્યેક પ્રસંગે તમે જે વત્તી ઓછી પ્રેરણા કરો છો તે તો ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે. તેનાથી તો ઊંઘતો પણ જાગી જાય...' 'ભદ્રેશભાઈ, ભૂતપૂર્વ પ્રમુખ ઃ પાંચકુવા કાપડ મહાજન : “અત્યારે બેંગલોરમાં મારા મિત્રના ઘરેથી આ પત્ર લખું છું. પ્રાતઃ કાળે પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ આહલાદક બની ગયું છે. ઊંઘ ન આવતાં મિત્ર પાસે વાંચવા પુસ્તક માગ્યું. ખૂબ સુંદર પુસ્તક છે એમ કહી મિત્રે જેન આદર્શ પ્રસંગો વાંચવા આપ્યું. વાંચતા હૃદય પુલકિત બની ગયું. આપણા આત્માની ઉન્નતિ માટે આપણે કશું કરતાં નથી. પ્રસંગો વાંચી પ્રેરણા મળી. દિલમાં ભાવ જાગ્યા કે ધર્મ આરાધના માટે પણ આપણે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.” આવા પ્રશંસાસૂચક અન્ય અનેકોના પણ અભિપ્રાય આવ્યા છે. તરફથી ભેટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 52