Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનયસહિત સાંભળે-અંગીકાર કરે, તે પ્રમાણે તેને આદર કરે અને મદમાન ન કરે. એ ચાર વિનય સંબંધી સમાધિ સ્થાનક જાણવાં, શ્રુત સંબંધી ૪ સમાધિ સ્થાનકે મને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થશે માટે ભણવું-ભણાવવું, હારૂં ચિત્ત એકાગ્ર થશે માટે ભણવુંભણાવવું, એથી આત્માને સ્થિર કરીશ માટે ભણવું-ભણવવું, તેમજ પોતે સ્થિર થઈને બીજાને સ્થિર કરીશ માટે ભણવુંભણાવવું એ ચાર શ્રુતસમાધિ સ્થાનકે જાણવાં. તપ સંબંધી સમાધિ સ્થાનક–નહિ આ લેકના સુખને માટે તપ કરે, નહિ પરલોકના સુખ માટે તપ કર, નહિ યશ કીતિ કે પ્રશંસા માટે તપ કરવો, ફકત કર્મક્ષય નિમિત્તેજ તપ કરે એ ચાર તપસમાધિ સ્થાનક જાણવાં. આ ચાર સમાધિ સ્થાનક-નહિ આ લેકના માટે નહિ પરલોકના માટે, નહિ યશ કિતિ કે પ્રશંસા માટે આચાર પાળ, ફક્ત અરિહંત દેવે ભાખેલા હેતુ માટે જ આચાર પાળવે. એ રીતે ચાર પ્રકારના આચારસમાધિ સ્થાનક જાણવાં. ઉક્ત ૧૬ સમાધિ સ્થાનકના જાણુ એવા ૩૬ ગુણયુકત શ્રી ગુરૂમહારાજા જયવંતા વર્તા! (૧૨) સમાજ ફકત કામ સ્થાનકની - હવે બારમી ગુરૂગણ છત્રીશી વખાણતા છતા ગ્રંથકાર કહે છે, दसविहवेत्रावचं, विणयं धम्मं च पडु पयासंतो। वजियअकप्पंछक्को, छत्तीसगुणो गुरू जयउ ॥ १३ ॥ દશ પ્રકારનું વૈયાવચ્ચ, દશ પ્રકારને વિનય અને દશ પ્રકારને ધર્મ સારી રીતે પ્રકાશતા અને અકલ્પનિકાદિ પર્ક જેમણે વજેલ છે એવા ૩૬ ગુણ યુક્ત ગુરૂમહારાજા જયવંતા વતે. (૧૩) દશવિધ વૈયાવચ્ચ-આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, બાળ, ગ્લાન, સાધુ, સાધર્મિક, ચતુર્વિધ સંઘ, એક પુરૂષ સંતતિરૂપ કુળ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87