Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. n annnn વચન (આ દરિદ્ર પણ ઉદાર), અપની અપનીત (આ દરિદ્ર અને કૃપણુ) અથવા (૧ સુરૂપ અને સુશીલ સ્ત્રી, ૨ સુરૂપ અને કુશીલ, ૩ કુરૂપ અને સુશીલ તથા ૪ કુરૂપ અને કુશીલ સ્ત્રી)એ ચાર ઉદાહરણે પણ ઘટી શકે છે, અને જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના તથા ચારિત્ર વિરાધના એ ત્રણ વિરાધનાથી મુક્ત એવા છત્રીશ ગુણયુકત ગુરૂ જયવંતા વર્તા. ૨૧ હવે ગ્રંથકાર એકવીસમી છત્રીશી વર્ણવે છે. नरदिक्खदोस अट्ठा-रसेव अट्ठार पाँवठाणाइं। दूरेण परिहरंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २२ ॥ અઢાર પુરૂષ દીક્ષા દોષને તથા અઢાર વાપસ્થાનને દૂરથી પરિહરતા એવા છત્રીશ ગુણયુકત શ્રી ગુરૂમહારાજ જયવંતા વર્તા! ૨૨. ભાવાર્થ –પુરૂષ દીક્ષા દો-સાત આઠ વર્ષ) બાળ, વૃદ્ધ, નપુંસક, (પુરૂષ સ્ત્રી ઉભયની વિષયાભિલાષાવાળો), કલબ (અત્યંત કાયર, પુરૂષાર્થ રહિત), જડ, વ્યાધિત (ભગન્દર, અતિસારાદિ રોગગ્રસ્ત), સ્તન (ચૌર), રાજઅપકારી (રાજદ્રોહી) ઉન્મત્ત (ભૂતગ્રહીત), અદર્શન (કાણે આંધળે અથવા ત્યાનર્ષિ નિદ્રાવાન), દાસ-દાસ પુત્ર, દુષ્ટ (વિષય-કષાય દુષ્ટ), મૂઢ (મૂર્ખ અથવા વ્યામૂઢ), ગાણાત (કરજવાન), જુગિત (જાતિ, કર્મ અને શરીરાદિ વડે દૂષિત હોય તે,) ઉપસ્થિત (ભેગલાહિક), ભૂતક (વૃત્તિ કિંકર), શિષ્ય નિષ્ફટક ( માતપિતાદિક વડીલ પ્રમુખની સંમતિ વગર ભગાડીને દીક્ષા દેવાય તે) ઉક્ત ૧૮ પુરૂષ દીક્ષા દોષ સમજવા. તે તથા પ્રાણાતિપાત, મૃષાવાદાદિ ૧૮ પાપસ્થાનકોને દૂરથી જ પરીહરતા એ રીતે છત્રીશ ગુણવડે અલંકૃત ગુરૂમહારાજા સદા જયવંતા વર્તો ! ર૨. - For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87