Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
૩૯
મંગળ-પરવાળું મંગળ પહેલી, બીજી, ચોથી, પાંચમી, સાતમા, આઠમી, દશમી અથવા આરમી રાશિમાં હોય તો તે મંગળ નબળે ગણાય. આ અશુભ મંગળ હંમેશાં માણસને ખરાબ ફળ આપે છે, અને અનેક પ્રકારે માણસને તે ઉપાધિમાં તથા મુશ્કેલીમાં લાવી મૂકે છે.
જ્યારે જ્યારે ગોચરમાં મંગળ ખરાબ થાય અથવા જન્મને ખરાબ મંગળની ગોચરમાં દશા આવે ત્યારે આ મંગળ ઘણું ખરાબ અસર ઉતપન્ન કરે છે. આ મંગળના કારણે માણસને ગરમી તથા લેહી વિકાર ઉત્પન્ન થાય છે અને તેના કારણે ચામડીનાં અનેક દરદ અને લેહી વિકારથી ઉત્પન્ન થતા અનેક રોગો થાય છે. જેમકે શરીરે ગરમી નીકળવી, ફેલા થવા, ચાંદા પડવા, ઘારાં પડવાં, ગુમડાં થવાં, લેહીનું પાણી થવું, વિગેરે અનેક રોગોનો માણસ ભોગ બને છે. વળી આ મંગળના કારણે માણસને ખોટી પરદેશની રખડપટ્ટી થાય, તેમાં પણ અનેક ઉપાધિઓ તથા અનેક પ્રકારનાં નુકશાન થાય છે. વળી માણસને પોતાના મિત્રો સાથે વિરોધ થાય છે અને દુશ્મનાવટ થાય છે તથા બીજા પણ નવા નવા દુશ્મન ઊભા થાય છે.
જ્યારે જ્યારે મંગળ નબળો હોય અથવા તો નબળા મંગળની દશા ચાલતી હોય ત્યારે ખાસ કરીને માણસે તેને માટે યોગ્ય વિધિ કરવી જોઈએ. આથી કરીને ખરાબ અસર દૂર થાય તેમજ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. જ્યારે જ્યારે મંગળ નબળો જણાય ત્યારે ત્યારે નીચે પ્રમાણે તેનો વિધિ કરવો જોઈએ. જે આ પ્રમાણેન વિધિ માણસ કરે તો અચુક મંગળનું ખરાબ ફળ નાશ જ પામે છે અને માણસને અનેક પ્રકારે શુભ ફળ પ્રાપ્ત થાય છે.
વિધિ : મંગળને ઉગ્ર ગ્રહ ગણવામાં આવે છે. વળી તે લડાઈનો ગ્રહ છે તથા લાલ રંગનો તે છે. આથી કરીને લાલચટક લેહીના જેવા રંગનું રાતું પરવાળું મંગળના નંગ તરીકે ગણવામાં આવે છે. આ પરવાળું પણ દરિયામાં ઉત્પન્ન થાય છે. અને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org