Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
૫૪
પ્રહ અને રત્નો વધારે સારું ફળ મેળવવું હોય તો અહીં બતાવ્યા પ્રમાણેની વિધિથી તમારે બુધનું આરાધન કરવું જ જોઈએ. વળી આગળ જણાવ્યા પ્રમાણે તમારે બુધના નંગની સિદ્ધ કરેલી વીંટી પણ પહેરવી જોઈએ. એ રીતે કરવાથી બુધ પ્રસન્ન થશે તથા અનેક પ્રકારે સુખશાંતિમાં વધારે કરી ઉત્તમ ફળ આપશે.
જે બુધ નબળો હોય અથવા તો નબળા બુધના અશુભ ફળ આપનારી દશા અથવા અંતર્દશા ચાલતી હોય તો, ઉપર પ્રમાણે બુધની આરાધના કરવા ઉપરાંત બુધને માટે કહેલાં દાન આપવાં. વળી બુધના માટે દાનની જે જે વસ્તુઓ દર્શાવી છે તે સઘળી ચીજોને માણસે પોતે પણ વધુ ને વધુ ઉપયોગ કરવો, તેમજ બુધની પૂજામાં પણ તે વસ્તુઓ વધુ ને વધુ વાપરવી. આમ કરવાથી બુધ ઘણો પ્રસન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org