Book Title: Dwatrinshad Dwatrinshika Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 15
________________ द्वात्रिंशद्वात्रिंशिका अनुकंपाऽनुकंप्ये स्याद्भक्तिः पात्रे तु संगता। अन्यथाधीस्तु दातृणामतिचारप्रसज्जिका ।।२।। अनुकंपेति । अनुकंपाऽनुकंप्ये विषये, भक्तिस्तु पात्रे साध्वादौ संगता स्यात् = समुचितफलदा स्यात् । अन्यथाधीस्तु = अनुकंप्ये सुपात्रत्वस्य सुपात्रे चानुकंप्यत्वस्य बुद्धिस्तु दातॄणामतिचारप्रसज्जिकाऽतिचारापादिका । अत्र यद्यपि सुपात्रत्वधियोऽनुकंप्येऽसंयतादौ मिथ्यारूपतयाऽतिचारापादकत्वं युज्यते, सुपात्रेऽनुकंप्यत्वधियस्तु न कथंचित्, तत्र ग्लानत्वादिदशायामन्यदापि च *स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपानुकंप्यत्वधियः प्रमात्वात्, तथापि स्वापेक्षया हीनत्वे सति स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपमनुकंप्यत्वं तत्राप्रामाणिकमेवेति न दोषः । अपरे त्वाहुः- तत्र प्रागुक्तं निर्विशेषणमनुकंप्यत्वं प्रतीयमानं साहचर्यादिदोषेण यदा દીન, હીન અનાથ વગેરે અનુકંપાપાત્ર જીવો કે જેઓ અસંયતાદિ છે તેઓને સુપાત્ર માનવા એ મિથ્યા માન્યતા છે. એટલે એનાથી અતિચાર લાગે એ તો જાણે કે સંગત છે. પણ સાધુ વગેરે સુપાત્રને અનુકંપાપાત્ર માનવા એ કાંઇ મિથ્યા માન્યતા નથી કે જેથી એનાથી અતિચાર લાગવાની વાત સંગત ઠરે. સુપાત્ર એવા પણ સાધુ વગેરેને અનુકંપ્ય માનવા એ મિથ્યા માન્યતા રૂપ એટલા માટે નથી કે ગ્લાન વગેરે અવસ્થામાં સાધુ વગેરે પણ અનુકંપ્ય હોય જ છે. વળી, તે સિવાય પણ, ભૂખ-થાક વગેરે રૂપ જે દુઃખમાંથી તેમનો ઉદ્ધાર થવો એ પોતાને ઇષ્ટ છે તે દુઃખની આશ્રયતા રૂપ (તે દુઃખના આશ્રય હોવા રૂ૫) અનુકંપાપાત્રતા સાધુ વગેરેમાં હોય છે જ, એટલે તેઓ અંગેની ‘આ અનુકંપાપાત્ર છે' એવી બુદ્ધિ પ્રમા જ છે. ને તેથી એ “અન્યથાધી' ન હોવાથી એનાથી અતિચાર લાગવાની વાત જો કે સંગત ઠરતી નથી. તેમ છતાં, સ્વાપેક્ષયા હીનત્વ રૂ૫ વિશેષણથી યુક્ત જે તાદશ દુઃખાશ્રયત્નરૂપ અનુકંપ્યત્વ છે તેને તો સુપાત્રમાં માનવું એ અપ્રામાણિક જ છે. કહેવાનો ભાવ એ છે કે અનુકંપ્યત્વે બે પ્રકારે છે (૧ તાદશદુઃખાશ્રયસ્વરૂપ અનુકંપ્યત્વ અને (૨) “સ્વઅપેક્ષાએ હીનતા” રૂ૫ વિશેષણથી યુક્ત તાદશદુઃખાશ્રયત્ન રૂપ અનુકંપ્યત્વ (એટલે કે “આ મારા કરતાં હીન = નીચા છે અને તેવા પ્રકારના દુઃખથી દુઃખી છે' એવું અનુકંપ્યત્વ). આમાંથી સુપાત્રમાં પ્રથમ પ્રકારનું અનુકંપ્યત્વ માનવું એ મિથ્યા ન હોવા છતાં બીજા પ્રકારનું અનુકંપ્યત્વ માનવું એ તો મિથ્યા છે જ, કેમકે સાધુ વગેરે સુપાત્રમાં સ્વની અપેક્ષાએ હીનત્વ રહ્યું નથી. તેથી એ અતિચાર લગાડનાર બને છે એવી અમારી વાતમાં કોઇ દોષ નથી. બીજા આચાર્યોનો અભિપ્રાય આવો છે – અનુકંપ્યત્વ તો તાદૃશ દુઃખની આશ્રયતા રૂપ એક પ્રકારનું જ છે. સ્વાપેક્ષયા હીનત્વ રૂપ વિશેષણથી યુક્ત એવો જ બીજો પ્રકાર કહ્યો છે તે માનવાની જરૂર નથી. પણ જે જીવોમાં અનુકંપ્યત્વ હોય છે તેઓમાં ઘણું ખરું, અનુકંપા કરનારની અપેક્ષાએ હીનત્વ પણ રહ્યું હોય છે. અનુકંપ્યત્વ અને હીનત્વ વચ્ચે વ્યાપ્ય-વ્યાપક ભાવ ન હોવા છતાં, આ ભૂયઃ સાહચર્યના કારણે, સુપાત્રમાં • દેખાયેલું અનુકંપ્યત્વ જો હીનત્વની બુદ્ધિ (સુપાત્રમાં બિચારા પણાની બુદ્ધિો પણ પેદા કરે છે તો જ એ અતિચાર લગાડનારું બને છે. કારણકે અન્યથા બુદ્ધિ = અયથાર્થ બુદ્ધિ હીનામાં ઉત્કર્ષની અને ઉત્કૃષ્ટમાં હીનતાની બુદ્ધિ * स्वस्य इष्टो य उद्धारो विवक्षितदुःखाभावरूपस्तत्प्रतियोगि यद्दःखं तदाश्रयत्वमिति समासः । @ અહીં “અસંયત' તરીકે મિથ્યાદૃષ્ટિ ગૃહસ્થો જાણવા. “આદિ' શબ્દથી બાવા જોગી વગેરેનો નિર્દેશ જાણવો. તેઓનો ત્યાગી તરીકેનો વ્યવહાર હોવાથી અસંયત' શબ્દ દ્વારા સમાવેશ કરવાનો નથી. અવિરત સમ્યવી- દેશવિરતને ગ્રન્થકાર સ્વયં આગળ પાત્ર કહેવાના છે. માટે એમનું “અસંયતાદિ' શબ્દથી અહીં ગ્રહણ નથી.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 252