Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho Author(s): Dharmdhwaj Parivar Publisher: Dharmdhwaj Parivar View full book textPage 2
________________ શ્રી જૈન સંઘના વહીવટકર્તા/સદસ્ય તરીકેની આપણી જવાબદારી અંગે જગતમાં સર્વ જીવોનું કલ્યાણ કરનારું પ્રભુ મહાવીરનું શાસન જિનમંદિરો જિનમૂર્તિ તથા શ્રુતજ્ઞાન-ભંડારો દ્વારા ૨૧,૦૦૦ વર્ષ ચાલવાનું છે. આ જિનમંદિરો તથા જ્ઞાનભંડારોનું અસ્તિત્વ દેવદ્રવ્યજ્ઞાનદ્રવ્ય ઈત્યાદિ સાતક્ષેત્રના ધર્મદ્રવ્યોની આવક અને તેના જિનાજ્ઞાનુસારી વહીવટ પર નિર્ભર છે. સાતક્ષેત્ર તથા ધર્મદ્રવ્યોના જિનાજ્ઞાનુસારી વહીવટ દ્વારા પ્રભુ મહાવીરનાં શાસનને ૨૧,૦૦૦ વર્ષો સુધી પહોંચાડવા દ્વારા ભવિષ્યનાં આપણા વારસદારોને એક સુદૃઢ વ્યવસ્થા પ્રદાન કરવાની આપણી જવાબદારી કર્તવ્ય નિભાવીએ. અગત્યની સૂચના ધર્મદ્રવ્યના જિનશાસન અનુસાર વહીવટ માટે આ પુસ્તક મહત્વનું છે. આપને તેની જરૂરીયાત ન હોય તો આસપાસના જૈન સંઘોમાં કે અમોને પરત કરવા વિનંતી છે. લી. શ્રી જૈન ધર્મધ્વજ પરિવાર, મુંબઈ ફોન : ૯૮૭૯૦૪૦૧૦૪Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 188