Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 137
________________ ૧૧૬ દેવપુરષકારદ્વાચિંશિકાશ્લોક-૨૮-૨૯ આશ્રયીને ઉપદેશ ઉપયોગી બનતો નથી જેમ રસાળભૂમિ ન હોય તે પવન ખનનાદિ ક્રિયાથી જલોત્પત્તિ થતી નથી તેમ જે સમ્યગ્દષ્ટિ જીવોએ પાતના નિવારણને અનુકૂળ રસાળ ભૂમિકા ન હોય તેમને ઉપદેશ ઉપયોગી બનતો નથી. અહીં વિશેષ એ છે કે કોઈ ભૂમિ રસાળ હોય અને જોરથી પવન ફૂંકાવાને કારણે ખાડો પડી જાય તો જલોત્પત્તિ થાય છે. તેથી રસાળ ભૂમિમાં જલોત્પત્તિ થવામાં પવન નિમિત્તભાવરૂપે હેતુ છે, તો વળી કોઈક સ્થાનમાં રસાળ ભૂમિ હોય અને ખનન ક્રિયા કરવામાં આવે તો જલોત્પત્તિ થાય છે. તેથી રસાળ ભૂમિમાં જલોત્પત્તિ થવામાં ખનનની ક્રિયા નિમિત્તભાવરૂપે હેતુ છે. વળી કોઈક સ્થાનમાં રસાળ ભૂમિ હોય તો ધરતીકંપ આદિથી જલોત્પત્તિ થાય છે. તેથી રસાળ ભૂમિમાં જલોત્પત્તિ થવામાં ધરતીકંપાદિ નિમિત્તભાવરૂપે હેતુ છે. તેમ જીવમાં યોગ્યતા હોય તો ઉપદેશ નિમિત્તભાવરૂપે ઉપયોગી છે. ૨૮ અવતરણિકા : પૂર્વશ્લોક-૨૮માં કહ્યું કે સમ્યગ્દષ્ટિની ઉચિત પ્રવૃત્તિમાં અનેકાંત હેતુ છતો ઉપદેશ ઉપયોગી છે. તે કથનને દગંતથી સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : आधिक्यस्थैर्यसिद्ध्यर्थं चक्रभ्रामकदण्डवत् । असौ व्यञ्जकताप्यस्य तद्बलोपनतिक्रिया ।।२९।। અન્વયાર્થ: માધવસિદ્ધચર્થ આધિક્યની સિદ્ધિ માટે સજાતીય પરિણામની પ્રચુરતાની સિદ્ધિને માટે, અને=āર્યની સિદ્ધિને માટે પતનના પ્રતિબંધની સિદ્ધિને માટે વિશ્રામ =ચક્રને ભગાડનારા દંડની જેમ મો=આ ઉપદેશ સમ્યગ્દષ્ટિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપયોગી છે, એમ પૂર્વશ્લોક-૨૮ સાથે આ શ્લોકનો અવય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154