Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 140
________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૯ ૧૧૯ ‘તિ' શબ્દ દષ્ટાંત-દાર્ણતિકભાવના કથનની સમાપ્તિ માટે છે. તે કહેવાયું છે=શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું તે “ઉપદેશ પદ' શ્લોક-૪૯૯માં કહેવાયું છે – ગુણસ્થાનક આરંભક અને પતિ પામતા જીવોને પ્રાય: ઉપદેશ પણ સફળ છે, પરંતુ સ્થાનમાં સ્થિતને પણ નહીં=જે ગુણસ્થાનક સ્વીકારેલું છે તે ગુણસ્થાનકમાં અવસ્થિત રહેલાને ઉપદેશ સફળ નથી.” (ઉપદેશપદ શ્લો. ૪૯૯) ભૂમિની રસાળતા નિબંધન જલોત્પત્તિમાં પવન-ખનનાદિ અનિયત હેતુ છે. તે દૃષ્ટાંતથી ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ હેતુ છે, તેમ પૂર્વશ્લોક૨૮માં બતાવ્યું. તેથી ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિનો અભિવ્યંજક ઉપદેશ છે, તેમ અર્થથી પ્રાપ્ત થયું; કેમ કે પવનથી કે ખનનથી ભૂમિમાં રહેલું જલ અભિવ્યક્ત થાય છે, ઉત્પન્ન થતું નથી. માટે ઉપદેશની અભિવ્યંજકતા કેવા સ્વરૂપવાળી છે, તે સ્પષ્ટ કરે છે – આની ઉપદેશની, વ્યંજકતા પણ તેના બળથી પરિણામના બળથી, ઉપનતિને અનુકૂળ ક્રિયા છે=ઉપરના ગુણસ્થાનકને અનુકૂળ પરિણતિના સંનિધાનરૂપ ઉપવતિને અનુકૂળ ક્રિયા છે. અન્યથા પરિણામના બળથી ઉપનતિની ક્રિયારૂપ વ્યંજકતા ન માનવામાં આવે અને જીવમાં રહેલી યોગ્યતાનો અભિવ્યંજક ઉપદેશ છે, તેમ માનવામાં આવે તો, ઘટાદિમાં દંડાદિની પણ વ્યંજકતાની આપત્તિ છે, એ પ્રમાણે ભાવ છે તાત્પર્ય છે. રહા જ ‘તથોપશોપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે ભમતા એવા ચક્રની દઢબ્રમિને માટે અથવા ભગ્ન ભ્રમિવાળા ચક્રની ભૂમિના આધાન માટે તો દંડ ઉપયોગી છે, પરંતુ ગુણસ્થાનકના પ્રારંભ માટે અને ગુણસ્થાનકના પાતના પ્રતિબંધ માટે ઉપદેશ પણ ઉપયોગી છે. ઇડાવે' - અહીં ‘પ' થી એ કહેવું છે કે ઉપદેશની તો અભિવ્યંજકતા માનવી પડે પરંતુ દંડાદિની પણ વ્યંજકતા માનવાની આપત્તિ આવે. ભાવાર્થ : સમ્યગ્દષ્ટિ જીવો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા હોય છે. તેથી તેમનામાં રહેલો દૃષ્ટિવાદનો બોધ તેમને હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154