Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 144
________________ ૧૨૩ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૩૦ ટીકા - __ औचित्येनेति-औचित्येन-न्यायप्रधानत्वेन प्रवृत्त्या च सुदृष्टिः सम्यग्दृष्टिः अधिकात्=अतिशयितात् यत्नात्-पुरुषकारात् पल्योपमपृथक्त्वस्य चारित्रमोहस्थितिसम्बन्धिनो व्ययात् चारित्रं लभते देशविरत्याख्यं सर्वविरत्याख्यं तु सङ्ख्यातेषु सागरोपमेषु निवृत्तेष्विति दृष्टव्यम् ।।३०।। ટીકાર્ય : ગોવિન્ટેન ..... દૃષ્ટત્રમ્ | અધિક યત્નથી=અતિશય પુરુષકારથી, ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિથી=ન્યાયપ્રધાનપણારૂપે પ્રવૃત્તિથી=ધર્મ, અર્થ અને કામનો સ્વભૂમિકાનુસાર તે રીતે સેવન કરે છે જેથી ધર્મની ઉત્તરોત્તર વૃદ્ધિ થઈને પૂર્ણ ઘર્મના સેવનની શક્તિ પ્રગટે તે પ્રકારની વ્યાયપ્રધાનપણારૂપ પ્રવૃત્તિથી, સમ્યગ્દષ્ટિ જીવ પલ્યોપમ પૃથફત્વના વ્યયથી=ચારિત્રમોહનીયની સ્થિતિ સાથે સંબંધવાળી સર્વ કર્મની, પલ્યોપમ પૃથકત્વ સ્થિતિના વ્યયથી. ચારિત્ર=દેશવિરતિ નામના ચારિત્રને, પામે છે. વળી સંખ્યાતા સાગરોપમની નિવૃત્તિ થયે છત=સંખ્યાતા સાગરોપમ પ્રમાણ કર્મની સ્થિતિ નિવૃત થયે છત, સર્વવિરતિ નામનું ચારિત્ર પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે જાણવું. l૩૦ ભાવાર્થ - સમ્યગ્દષ્ટિને ઉચિત પ્રવૃત્તિના કારણે ચારિત્રમોહનીયકર્મના ક્ષયની પ્રાપ્તિ - ગ્રંથિભેદની ઉત્તરમાં બળવાન યત્ન ઉચિત પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરે છે, એમ શ્લોક-૨૭માં કહ્યું. તેથી સમ્યગ્દષ્ટિ જીવ પોતાની શક્તિ અનુસાર ધર્મ, અર્થ અને કામમાં સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે, જેના બળથી પોતાનામાં પ્રગટ થયેલો ધર્મ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે અને ક્રમે કરીને અર્થ-કામના સંસ્કારો ક્ષીણ ક્ષીણતર થાય છે. આ રીતે ઉચિત પ્રવૃત્તિ કરવાને કારણે સત્તામાં રહેલી કર્મની સ્થિતિ પલ્યોપમ પૃથકુત્વ પ્રમાણ ક્ષય પામે ત્યારે સમ્યગ્દષ્ટિ જીવને દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. વળી જે સમ્યગ્દષ્ટિ જીવોનું કર્મ અતિ સોપક્રમ છે, તે સમ્યગ્દષ્ટિ જીવો સમ્યકત્વ પામ્યા પછી અંતર્મુહૂર્તમાં જ પલ્યોપમ પૃથકત્વ કર્મની સ્થિતિનો ક્ષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154