Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 151
________________ ૧૩૦ દેવપુરષકારાત્રિશિકા/બ્લોક-૩૨ ટીકા : योगेति-अत्र देशसर्वविभेदेन चित्रे-नानारूपे चारित्रे सर्वज्ञभाषिते= तीर्थकराभिहिते योगस्य प्रागुक्तलक्षणस्य प्रवृत्तिः स्यात् परमेण-उत्कृष्टेनानन्देन सङ्गता व्याप्ता ।।३२।। ટીકાર્ય : ત્ર ... સાપ્તા || દેશ અને સર્વ વિભેદથી ચિત્ર=અનેક રૂપવાળા, સર્વજ્ઞભાષિત તીર્થંકર વડે કહેવાયેલા, અત્રચારિત્રે ચારિત્રમાં, પૂર્વમાં કહેવાયેલાં લક્ષણોવાળા યોગની પ્રવૃત્તિ=૩૧મા શ્લોકમાં કહેવાયેલાં લક્ષણોવાળા યોગની પ્રવૃત્તિ, પરમાનંદથી સંગત થાયaઉત્કૃષ્ટ આનંદથી વ્યાપ્ત થાય. li૩૨ા ભાવાર્થ :દેશ અને સર્વ ચારિત્રના યત્નોથી ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ - ચરમાવર્તમાં આવેલા જીવો પુરુષકારથી દેવનો બાધ કરે છે, ક્રમે કરીને ગ્રંથિનો ભેદ કરે છે, અને ઉચિત પ્રવૃત્તિ કરીને ચારિત્રમોહનીય કર્મનો પણ બાધ કરે છે ત્યારે, દેશવિરતિ ચારિત્ર અને સર્વવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાં જે જીવોને દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થઈ છે અને જે જીવોને સર્વવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થઈ છે, તેઓ કેવા આનંદથી યુક્ત છે, તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે. સર્વજ્ઞ ભગવંતે કહેલા દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રના ભેદથી અનેક પ્રકારના ચારિત્રમાં યોગની પ્રવૃત્તિ ઉત્કૃષ્ટ આનંદથી વ્યાપ્ત થાય છે અર્થાત્ પુણ્યના ઉદયથી સંસારવર્તી જીવોને જે આનંદ થાય છે, તે આનંદની અપેક્ષાએ દેશવિરતિ ચારિત્રમાં પ્રવૃત્તિ કરનારા શ્રાવકને ઉત્કૃષ્ટ આનંદ થાય છે, અને દેશવિરતિ ચારિત્રમાં પ્રવૃત્તિ કરનારા શ્રાવકને જે આનંદ થાય છે, તે આનંદથી સર્વવિરતિ ચારિત્રમાં પ્રવૃત્તિ કરનારા સાધુને ઉત્કૃષ્ટ આનંદ થાય છે. આશય એ છે કે સંસારમાં જીવો પ્રતિકૂળ સામગ્રીની પ્રાપ્તિમાં વ્યાકુળ હોય છે, તેથી દુઃખી હોય છે, અને પુણ્યના ઉદયથી અનુકૂળ સામગ્રી મળે ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154