Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 152
________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ૧૩૧ કંઈક વ્યાકુળતાનું નિવર્તન થવાથી કંઈક સ્વસ્થતાકૃત સુખનો અનુભવ કરે છે. આમ છતાં તે સ્વસ્થતાકૃત સુખ ક્ષણમાત્રભાવી છે, જ્યારે તત્ત્વના ભાવનને કારણે જેમનું ચિત્ત ભોગસુખની ઇચ્છાથી વિશ્રાંતિ સન્મુખ જનારું છે, તેવા શ્રાવકોને ભોગ પ્રત્યેની તૃષ્ણા ઘટતી જાય છે, તેથી તેઓના ચિત્તના સ્વાથ્યની વૃદ્ધિ થાય છે. માટે દેશવિરતિધર શ્રાવકો દેશવિરતિની પ્રવૃત્તિ કરીને ચિત્તને નિરાકુળ બનાવે છે. તેથી સંસારી જીવોની પુણ્યના ઉદયથી થતી ક્ષણિક સ્વસ્થતા કરતાં દેશવિરતિધર શ્રાવકની સ્વસ્થતા ઉત્કૃષ્ટ અને ઉત્તરોત્તર વૃદ્ધિને પામનારી છે. આથી સંસારી જીવોના આનંદ કરતાં દેશવિરતિધર શ્રાવકનો આનંદ ઉત્કૃષ્ટ છે, અને દેશવિરતિના પાલનના બળથી સંચિત શક્તિવાળા એવા શ્રાવકો જ્યારે સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરે છે, ત્યારે તેઓનું ચિત્ત સર્વથા ભોગની તૃષ્ણાથી રહિત બને છે. તેથી દેશવિરતિકાળમાં ચિત્તનું જે સ્વાચ્ય હતું તેના કરતાં પણ અધિક ચિત્તનું સ્વાચ્ય પ્રગટ થાય છે. માટે દેશવિરતિ ચારિત્રીના સુખ કરતાં પણ સર્વવિરતિ ચારિત્રીને ઉત્કૃષ્ટ સુખ વર્તે છે. તેથી ઉત્કૃષ્ટ આનંદથી યુક્ત એવી સર્વવિરતિધર ચારિત્રીની પ્રવૃત્તિ છે, અને આ જ પ્રવૃત્તિ ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ દ્વારા પૂર્ણ સુખમય મોક્ષમાં વિશ્રાંત થાય છે. શા || તિ વૈવપુરુષવાર ત્રિશા પાછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154