Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 145
________________ ૧૨૪ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૩૦-૩૧ કરીને દેશવિરતિ ચારિત્રને પ્રાપ્ત કરે છે; અને જે સમ્યગ્દષ્ટિ જીવોનું દેશવિરતિનું પ્રતિબંધક ચારિત્રમોહનીયકર્મ અત્યંત શિથિલ નથી, તેઓ પણ ધર્મ, અર્થ અને કામમાં સ્વશક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને જેટલા કાળથી પલ્યોપમ પૃથકત્વ કર્મની સ્થિતિનો હ્રાસ કરી શકે તેટલા કાળ પછી દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિ કરે છે; અને જે સમ્યગ્દષ્ટિ જીવોને દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિનું પ્રતિબંધક કર્મ કંઈક દૃઢ છે અને સ્વપરાક્રમથી ક્ષીણ થાય તેમ નથી, તેવા જીવો ઉપદેશના બળથી સમ્યક્તકાળમાં વર્તતી કર્મની સ્થિતિમાંથી પલ્યોપમ પૃથત્વ કર્મની સ્થિતિનો હ્રાસ કરે ત્યારે દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. વળી જે સમ્યગ્દષ્ટિ જીવોનું દેશવિરતિ ચારિત્રનું પ્રતિબંધક કર્મ નિરુપક્રમ છે, તેઓની ધર્મ, અર્થ અને કામની ઉચિત પ્રવૃત્તિ પણ પલ્યોપમ પૃથકત્વ પ્રમાણ કર્મની સ્થિતિનો હ્રાસ કરવા માટે તે ભવમાં સમર્થ બનતી નથી, તોપણ ઉચિત પ્રવૃત્તિ દ્વારા કંઈક કર્મની સ્થિતિ ઘટે છે, જેના કારણે જન્માંતરમાં તેઓને ચારિત્રની પ્રાપ્તિ સુલભ બને છે. વળી દેશવિરતિ ચારિત્રની પ્રાપ્તિ થયા પછી સ્વશક્તિ અનુસાર ઉત્તરોત્તર દેશવિરતિના અધિક-અધિક સેવન દ્વારા સત્તામાં રહેલાં કર્મોની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિનો હ્રાસ થાય ત્યારે સર્વવિરતિ નામના ચારિત્રની પ્રાપ્તિ થાય છે. l૩૦મી અવતરણિકા : શ્લોક-૩૦માં કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવ અતિશય પુરુષકારથી પલ્યોપમ પૃથકત્વ કર્મની સ્થિતિના વ્યયને કારણે દેશવિરતિ ચારિત્રને પ્રાપ્ત કરે છે, અને સંખ્યાતા સાગરોપમ કર્મની સ્થિતિના વ્યયને કારણે સર્વવિરતિ ચારિત્રને પ્રાપ્ત કરે છે. તેથી હવે દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રનાં લિગોને બતાવે છે – શ્લોક :मार्गानुसारिता श्रद्धा प्राज्ञप्रज्ञापनारतिः । गुणरागश्च लिङ्गानि शक्यारम्भोऽपि चास्य हि ।।३१।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154