Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 26
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૯ . . .ت. .ت. કરિયાણું કાંઈ ન મળ્યું? ધનો કહે, પિતાજી! આ ન હોય માટી. આ તો છે તે જંતુરી. લોઢું કરીએ ગરમ ને માંહી નાખીએ તેજંતુરી તો બની જાય સોનું. તે પ્રમાણે કરી જોયું તો સોનું થયું. તેથી બધા રાજી થયા. ધન્નો બહુ પૈસાદાર થયો. - પેલા ભાઈઓ અદેખાઈ છોડે નહિ. રોજ કંકાસ કરે. ધન્નો કહે, આ સારું નહિ. મારા લીધે બીજા દુભાય છે પડવા દે છેટા. જઈશું પરદેશ. ત્યાં કમાઈશું ને મજા કરીશું એક દિવસ વહેલો ઊઠ્યો. નીકળી ગયો ઘર બહાર ચાલ્યો દેશાવરમાં. ઘણું જોયું. ઘણું ચાલ્યો. આવ્યો એક મોટા શહેરની ભાગોળે. શહેરનું નામ રાજગૃહ. ત્યાં એક સૂકી વાડી. ધન્નો ત્યાં રાત રહ્યો. સવારે જુએ ત્યાં સૂકી વાડી લીલી. જ્યાં ભાગ્યશાળી જાય ત્યાં શું ન થાય ! માળીએ શેઠને ખબર આપી. શેઠ બહુ હરખાયા. ધન્નાને તેડું મોકલ્યું. ધનો ત્યાં ગયો. શેઠે તેને જમાડ્યો. ખૂબ માન આપ્યું. વાતચીત કરી. તેમને લાગ્યું કે આ પ્રતાપી પુરુષ છે એટલે પરણાવી પોતાની દીકરી. ધન્નો ખૂબ નસીબદાર. જ્યાં તેનાં પગલાં ત્યાં ધનના ઢગલા. એને તો અહીંયાં પણ ખૂબ ધન મળ્યું. તે મોટો શેઠ થયો. એક વખત રાજાનો હાથી થયો ગાંડો. કોઈ વશ કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36