Book Title: Chakravarti Sanatkumar Vir Dhanno
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
વીર ધનો
ه
ن
.ن.ن.ت...
ભાગ નહિ પડે. પેલા ભાઈઓ કહે, અમે બધું જાણીએ છીએ. રતન ચોરીને ધન્નો નાઠો તે અહીં આવ્યો છે. ભાગ આપો નહિતર થશે ફજેતી.
ધનો કહે, આ તો ફરીથી થયો કંકાસ. આપણને કંકાસ જોઈએ નહિ. ચાલો પરદેશ. ત્યાં કમાઈશું ને મજા કરીશું.
સવારમાં વહેલા ઊઠી ચાલવા માંડ્યું.
ધન્નો આવ્યો કૌશામ્બી નગરીમાં. ત્યાં રાજદરબારે મણિની પરીક્ષા થાય. કોઈ કરી શકે નહિ. ધને મણિની પરીક્ષા કરી. રાજાએ તો દીધાં આદરમાન.
હવે ધન્નાએ વસાવ્યું ધનપુર ગામ. ત્યાં બધી વાતે સુખી, પણ પાણીનું મોટું દુઃખ, એટલે ખોદાવવા માંડ્યું તળાવ.
હંમેશ તળાવ પર આવે ને કેટલું કામ થયું તે જુએ. ત્યાં એક દિવસ પોતાનું કુટુંબ જોયું. તળાવ પર મજૂરી કરે અને ગુજરાન ચલાવે. એકના હાથમાં પાવડો, એકના હાથમાં કોદાળી, બૈરાંને માથે ટોપલા. અરે, આ તો મારા ભાઈ, આ તો મારી ભાભીઓ. ધને પહેલાં તો ઓળખાણ ન પાડી, પણ પાછળથી ઓળખાણ પાડી ને બધી વાત પૂછી. પિતાએ કહ્યું : ભાઈ ! તું ગયો તેની રાજાને ખબર પડી એટલે તેણે જાકારો દીધો. ખાધેપીધે ખુવાર થયા. અમારી આ હાલત થઈ. ધન્નો આ વાત જાણી ખૂબ દિલગીર થયો. કુટુંબને સાથે રાખ્યું ને સુખી કર્યું. ધન્નો બીજી પણ ચાર સ્ત્રીઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36