Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 33
________________ સાથે બેગ પ્રસંગે કઠેરાને ગુણ ઉમેરવાની જરૂર છે. જાપ રોજ નિ ફુકુમાર' એ સૂત્ર પ્રમાણે એક બાજુ ફૂલેથી પણ કેમળ હોય અને બીજી બાજુ વજોથી પણ કઠોર હોય, તે જ નારીજાતિ સારી પેઠે ગુણોનો વિકાસ સાધી શકે. જૂના કાળમાં સ્ત્રી પુરુષને બરાબર અધિકાર હતો, પણ વચગાળામાં હિંદુધર્મમાં પુરુષને તે બ્રહ્મચર્ય પાલનને અધિકાર રહ્યો, પણ સ્ત્રીએ ગૃહસ્થાશ્રમી બનવું જ જોઈએ, એવું માનવામાં આવ્યું. મતલબ એ કે સ્ત્રીને બ્રહ્મચર્ય પાળવાને અધિકાર નહોતો આપવામાં આવ્યા. જૈન ધર્મ જેવાં ક્રાંતિકારી ધર્મમાં સ્ત્રીને સાધ્વી બનવાને અધિકાર તો જરૂર આપવામાં આવ્યો, પણ જૈન ધર્મ પરંપરામાં ગૃહસ્થજીવનમાં બ્રહ્મચારિણી તરીકે કોઈ સ્ત્રી રહે, તે પ્રત્યે પુષ્પની અપેક્ષાએ તે પ્રમાણમાં અણગમો અને ઉપેક્ષા જ બતાવવામાં આવી. કહેવાનું તાત્પર્ય એ છે કે નારીજાતિની કોમળતાને ગેરલાભ ઉઠાવી, તેના કેટલાક અધિકારો ઝૂંટવી લેવામાં આવ્યા. સ્ત્રી સાથ્વી કાર પુરુષ સાધુ કરતાં દીક્ષામાં ગમે તેટલા મોટા હોય છતાં પુરુષ સાધુ પાસે વંદના લેવાનો અધિકાર નથી, ઊલટું, વંદન કરવાં જ જોઈએ, એવું વિધાન કરવામાં આવ્યું. એ જ રીતે ‘અમુક શાસ્ત્રો નહિ વાંચવાનું, પોતાના સર્વાગીણ વિકાસ માટે મર્યાદામાં ચોકસાઈને રાખીને પણ પુરા સાધક સાથે નિવાસ અને વિહાર નહીં કરવાનું વિધાન તેને માટે લાગુ કરવામાં આવ્યું. આ રીતે સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વને સ્થાન ન રહ્યું. જૈન સંપ્રદાયો પૈકીના અમુક સંપ્રદાયમાં તો સાવીને વ્યાખ્યાન આપવાને અધિકાર પણ આપવામાં આવતો નથી. જો કે આ બધું રૂઢિવશ અથવા બાજુના સમાજની ખેતી અસરને લીધે થયું છે. આ નારીની અપમાનજનક ભૂમિકા છે. આમ એની કમળતાને દુરુપયોગ થયો. એટલે કે મળતાની સાથે અમુક પ્રસંગે કઠોરતાના ગુણને ઉમેરવાની જરૂર છે. સાથે સાથે સ્ત્રીમાં કમળતાને લીધે જે પરાશ્રિતપણું આવી ગયું અને એને લીધે નિર્બળતા, બીક, નિરાશા, નિરૂત્સાહ અને કોઈપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96