Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 86
________________ મહાત્મા ગાંધીજીએ આ રીતે અનેક બહેનને તૈયાર કરી હતી. એટલે હવે “સ્ત્રીઓ બ્રહ્મચારિણી થઈ જ ન શકે, વિધવા બહેને શીલવતી હેવા છતાં અમંગળકારિણી છે, અથવા બ્રહ્મચારી પુરુષો કરતાં બ્રહ્મચારિણું સ્ત્રીઓ નીચી છે, એ જૂનાં ખોટાં મૂલેને હવે કોઈપણ વિચારક સ્વીકારવા માટે તૈયાર નથી. ઉપલી રીતે જ પુખ સાધુ સંન્યાસીઓ સાથે કઈ સાધ્વી કે બ્રહ્મચારિણું બહેન રહેવા ઇચ્છે તે રહી જ ન શકે, સાધુઓના સ્થળે રાત્રે પુરુષોની હાજરીમાં પણ માતા-બહેને પ્રાર્થના પ્રવચનમાં આવી જ ન શકે, સાવી ગમે તેવી દીક્ષામાં મોટી હોય તિય સાધુઓથી નીચી છે, માટે તેણુએ સાધુઓને વંદન કરવું જ જોઈએ એવા બધાં વિકાસાવરોધક છેટાં મૂલ્ય હવે ઝડપભેર ફેરવાઈ રહ્યાં છે. ફેરવાવાં જ જોઈએ. સ્ત્રીઓ વિષે જે નિંદજનક વચને ધર્મગ્રંથોમાં કે બીજે લખાયાં છે તેમાં પણ ફેરફાર કરવો પડશે. બ્રહ્મચારી ઉચ્ચ સાધક માટે જૈન આગમોમાં જે નવાવાડ બતાવવામાં આવી છે, તેના ઉપર પણ નવેસરથી અને સર્વાગી રીતે વિચારવું પડશે. કોઈ પણ સાધુ પ્રતિજ્ઞા લેવાથી પૂર્ણ સાધુ નથી થઈ જ, પણ પૂર્ણ સાધુ થવાને સંકલ્પ કરે છે. એટલા જ માટે દશવૈકાલિક સૂત્રમાં નવવાડને આગ્રહ કરાય છે. પરંતુ જેટલે તે આગ્રહ કર્યો છે, તેનાથી અનેક ગણે આગ્રહ નવા યુગને અનુરૂપ રહે તેવી વાત પણ બે અઢી હજાર વર્ષ પહેલાંના એ જ આગમગ્રંથમાં કહી જ દીધી છે. જેથી આપણને ખ્યાલ આવશે કે જૈન આગમોનાં સાતત્ય રક્ષા” ની સાથે સાથે પરિવર્તન શીલતાને કેટલો બધે અવકાશ સતત રહ્યા કર્યો છે. દશવૈકાલિક સત્ર સ્પષ્ટ બેલે છે. મનેઝ અને પ્રિય ભાગ પ્રાપ્ત થવા છતાં તેનાથી પીઠ ફેરવી લે છે, અર્થાત ભોગે સ્વાધીન હોવા છતાં પણ જે ત્યાગે છે, તે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96