Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 87
________________ ૮૩ સાચા ત્યાગી કહેવાય છે. વસ્ત્ર, સુગંધ, આભૂષણ, સ્ત્રીઓ અને શયન વગેરે જેને સ્વાધીન નથી, એટલા માટે ભોગવી શક્રતા નથી, પણ મનમાં તેા તેના જ વિચારો કર્યા કરે છે, તે કદી ત્યાગી કહેવાતા જ નથી. ઉપલી દષ્ટિએ આજે સાચે બ્રહ્મચારી સાધક તે જ ગણાશે, જેની સામે પડવાનાં સાધના હોવા છતાં પણ પેાતાના વિચાર ઉપર દઢ રહીને અનેક જોખમેા વચ્ચે સહજ સ્થિર બન્યા હશે. જે સાધક ચારેબાજુ વાડાના બંધના ઊભા કરીને, સાધને મળતાં નથી, માટે ડે છે, અને સાચા બ્રહ્મચર્યના વિધેયાત્મક વિચાર ઉપર દૃઢરહેતા નથી તથા મનમાં ખરાબ વિચારે ધેાળ્યા કરે છે તે સાચેા સાધક ગણાશે જ નહીં. એ જ રીતે બ્રહ્મચર્ય ને સાચું તેજસ્વી અને સમાજગમ્ય પણ બનાવવાનું રહેશે. જૂના વખતમાં તે બ્રાહ્મા પણ જાગૃત હતા, સમાજમાં ાઈના ઉપર અન્યાય-અત્યાચાર થતા કે સમાજમાં અનિષ્ટ ચાલતાં તેને રાકવા નતે અહિંસક પ્રયત્ન કરતા, અથવા ક્ષત્રિયાને સ્વધર્મ પ્રેરિત કરીને તેમના દ્વારા અનિષ્ટ નિવારાવતા. જનતાના આગેવાના—મહાજના પણ જાગૃત હતા અને સાધુએ તે અત્યંત જાગૃત હતા. તે જમાનામાં યાતાયાતના ઝડપી સાધના ન હતાં, જેથી જગતની સાથેના સંપર્કો વધ્યા નહતા. લાકસંપર્ક પણ બહુ જ એ થા. નાનાંમોટાં અનિષ્ટને તે બ્રાહ્મણા, મહાજનો કે ક્ષત્રિયા જ દૂર કરી દેતા હતા, એટલે સાધુવર્ગ પાસે એટલા બધા પ્રશ્નો આવતા પણ ન હતા. માટે જ મોટેભાગે સાધુસાધ્વીએ નગર કે ગામની બહાર, બગીચા, વનખંડ, ગ્રા અથવા નિર્જન સ્થામાં નિવાસ કરતાં, એટલે જ નવવાડ પૈકી પહેલી વાડમાં કેટલાક આચાય મહાનુભાવાએ સ્ત્રી, પશુ,નપુ ંસક રહિત સ્થાનમાં સાધુએ વસવાની વાત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96