Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 89
________________ ૮૫ તેને તરીને ખેંચીને બહાર કાઢી લાવે.' આવા આવા કપરા પ્રસંગે નિર્દોષ સ્ત્રી સ્પર્શે બાધક નથી થતા, એમ જૈન સૂત્રેા કહે છે. છતાં આજે કાંટા કાઢવા જેવી બાબતમાં કાઈ સાધુને સાધ્વી-શરીરને નિર્દોષ સ્પર્શ પણ ક્ષમ્ય નહીં ગણાય. ટૂંકમાં કાળે કાળે મૂલ્યો પલટાઈ જાય છે. વાચા જાણે જ છે કે ભગવાન પાર્શ્વનાથના યુગમાં જેમ રંગીન વસ્ત્રો પહેરવા છ્તાં પણ સાધુ અપરિગ્રહી રહેતા; તે મહાન ગણાતા, પણ આજે રંગીન વસ્ત્ર પહેરનાર મહાવીરને સાધુ અપરિગ્રહી છતાં મહાન નથી ગણાતા, તેમજ એક કાળે સ્ત્રી– પશુ–પંડક રહિત સ્થાને રહીને સમાજના પ્રશ્નોને બહુ જ અલ્પ માત્રામાં પતે કે ન સ્પર્શીતા તે જ મહાન ગણાતા. કારણ કે એ વખતે અનાસક્તિનું માપ અસ પ પણું હતું પણ આજે ચુસ્તપણે અનિવાય મર્યાદાઓ પાળવા છતાં સ્ત્રીએ દ્વ્રારા સમાજની સર્વાંગી સાધનાનાં કામેા લઈ શકે, તે સાધુ મહાન ગણાશે. કારણ કે ક્રાંતિપ્રિયતાની પહેલ સાધુ-પુરુષ કરશે અને તેવા સાધુઓએ અહિંસા દ્વારા ક્રાંતિ કરવી પડશે. જ્યારે અહિંસાની શક્તિ પુરુષો કરતાં સ્ત્રીઓમાં જ વધારે રહેવાની, માત્ર તેમનું સારી પેઠે ધડતર કરવાની જરૂર રહેશે. એટલે આજના યુગે સ્ત્રીથી ખ્વીતા રહે, વેગળા રહે તે ઊંચા નહીં, પણુ નિયમા ચુસ્ત પાળવા છતાં, રૂઢિચુસ્ત વર્ગની ટીકા સહીને પણુ જે સ્ત્રીઓ દ્વારા સ્વપર કલ્યાણનાં અહિંસક કાર્યક્રમા સફ્ળ કરી શકશે, તેવાં કાર્યો લઈ શકશે, તેમને જ ઊંચા સાધુ માનવા પડશે. આ યુગ દષ્ટિને ભૂલીને જો બ્રહ્મચર્ય સાધના કરાશે તે તે એકાંગી, અતડી અને વિકાસાવરાધ થશે. એટલે આજની નવવાડામાં આ દિએ જ વિચારવું પડશે. ટ્રકમાં વિકાર દષ્ટિએ માતાઓ બહેનાથી દૂર રહી, પળે પળે જાગૃતિ 1 રાખવી અને વાત્સલ્ય દૃષ્ટિએ નજીકમાં નજીક આવી તેમનું ઘડતર કરવું, ક્ આપવી. સમાજના પ્રશ્નો લેવા માટે સાધ્વીઓને, માતાઓને તૈયાર કરવી રહેશે. મહાત્મા ગાંધીજી ખાસ્થ્ય પ્રતિજ્ઞા લીધા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96