Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 76
________________ ७२ તે અખંડ નારીઓને કે આ કામ આ વિલાસિતાને પ્રવાહ ભૌતિક નિષ્ઠાને કારણે વહી રહ્યો છે, તેને ખાળ હોય તે ભારતીય સંસ્કૃતિની ઉજ્જવલ મર્યાદાઓથી તે નારીઓને પ્રભાવિત કરવી પડશે અને પાશ્ચાત્ય નારીઓ ભારતીય સંસ્કૃતિની ઉજ્જવલ મર્યાદાઓથી ત્યારે જ પ્રભાવિત થઈ શકશે કે જ્યારે સમાજ સંસ્કર્તા ઉચ્ચ સાધુસંન્યાસીઓ પવિત્ર નારીઓને તથા સાદેવીઓને અખંડ સંપર્કમાં રાખી તેમનું અહર્નિશ ઘડતર કરશે અને તે સાધ્વીઓ તથા સંન્નારીઓને પાશ્ચાત્ય નારીઓ માટે પ્રેરક તરીકે બનવાનું જોરદાર માધ્યમ બનાવશે. આ કામ જે વેળાસર નહિ થાય તો ભારતીય સંસ્કૃતિમાં જે ઉજ્જવલ નારીમર્યાદાઓ છે, તે પણ ધીમે-ધીમે ભુંસાતી જશે, અને એક દિવસ તે તે છેક નામશેષ થઈ જશે. એટલે બ્રહ્મચર્ય સાધના માટે સાધુ સંન્યાસીઓ શરીરસ્પર્શ વર્જ્ય ગણી અમુક અનિવાર્ય મર્યાદાઓ સિવાય પવિત્ર નારીઓ ને સાધ્વીઓ સાથે નિકટ સહવાસ સાધીને જે હૃદયસ્પર્શ વધારશે નહીં, અને રૂઢિચુસ્ત સમાજની બેટી ટીકાને બેફ વહેરીને આગળ ધપશે નહીં તે આત્મકલ્યાણની સાથે સમાજ કલ્યાણની સર્વાગી સાધના કરી શકશે જ નહીં. બ્રહ્મચારિણી બહેનની સમાજમાં આજે કદર થતી નથી, સમાજની રૂઢિચુસ્ત લે કે તે અત્યારે પિતાની બહેન કે દીકરી આજીવન કુમારી રહી બ્રહ્મચર્ય સાધના કરવા માગે છે એને તેમ કરવા ના પાડે છે. વળી વિધવા બહેનોને કુટુંબમાં લેકનાં મેણાં ટેણાં ખાઈને અપમાનજનક સ્થિતિમાં રહેવું પડે છે. તેથી આ બહેને રક્ષણાકાંક્ષિણ રહે છે. તે પરિસ્થિતિને સમાજના ક્રાંતિ દર્શ સાધુસાધ્વીઓએ બદલવી હોય, અને બદલવી જ છે તે એવાં પવિત્ર બ્રહ્મચારી ભાઈઓ તથા બ્રહ્મચારિણું બહેનને સાચું માર્ગ. દર્શને હૃદયસ્પર્શ દ્વારા આપવું જ જોઈશે. ખાસ તે એવાં બ્રહ્મચારિણી બહેનોને સાચી દૂફ અને સેવાને કાર્યક્રમ મળે તે તેમનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96