Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 155
________________ ૧૪૬ ભારતીય તત્વજ્ઞાન અનુપલબ્ધિને પણ તેઓ અનુમાનરૂપ જ ગણે છે. વૈશેષિકો પણ બે જ સ્વતંત્ર પ્રમાણો માને છે-પ્રત્યક્ષ અને અનુમાન. તેઓ ઉપમાન, અર્થપત્તિ, શબ્દ અને અનુપલબ્ધિને અનુમાનના જ ભેદ ગણે છે. સાંખ્યયોગ ચિંતકો ત્રણ જ પ્રમાણો માને છે-પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. તેઓ ઉપમાનનો યથાસંભવ પ્રત્યક્ષ કે શબ્દ પ્રમાણમાં અન્તર્ભાવ કરે છે, તેમ જ અર્થપત્તિનો અનુમાનમાં “અન્તર્ભાવ કરે છે. અનુપલબ્ધિને તેઓ પ્રત્યક્ષપ્રમાણરૂપ જ માને છે. અનૈયાયિકો ચાર જ પ્રમાણો સ્વીકારે છે-પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાને અને શબ્દ. તેમના મતે અર્થપત્તિનો સમાવેશ અનુમાનમાં થાય છે અને અનુપલબ્ધિનો સમાવેશ પ્રત્યક્ષમાં થાય છે. પ્રભાકર મીમાંસકો પણ અનુપલબ્ધિને પ્રત્યક્ષનો જ ભેદ ગણે છે. જેન તાર્કિક અનુમાન અને શબ્દને પરોક્ષપ્રમાણના ભેદ ગણે છે. વળી, તેઓ પરોક્ષપ્રમાણના એક ભેદ પ્રત્યભિજ્ઞામાં ઉપમાનનો અન્તર્ભાવ કરે છે. “ તેવી જ રીતે તેમને મને સ્મૃતિ અને તર્ક પણ પરોક્ષપ્રમાણના ભેદો છે. અનુપલબ્ધિ અને અર્થપત્તિ બંનેને તેઓ અનુમાનમાં જ સમાવિષ્ટ કરે છે. પ્રમાણસંપ્લવ-પ્રમાણવ્યવસ્થા એકથી વધુ પ્રમાણો માનનાર બધા જ દાર્શનિકો સમક્ષ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છેશું એકના એક વિષયમાં એકથી વધુ પ્રમાણો પ્રવૃત્ત થઈ શકે? અર્થાત્ પ્રમાણોનો એક સમાન વિષય હોઈ શકે? કે દરેક પ્રમાણને પોતાનો નિયત વિષય જ હોય? એકજ વિષયમાં અનેક પ્રમાણોનું પ્રવૃત્ત થવું તે પ્રમાણસંપ્લવ કહેવાય છે. એક જ વિષયમાં અનેક પ્રમાણોનું પ્રવૃત્ત ન થવું પરંતુ પોતાના નિયત વિષયમાં જ તે તે પ્રમાણનું પ્રવૃત્ત થવું તેને પ્રમાણવ્યવસ્થા (પ્રમાણવિપ્લવ) કહેવામાં આવે છે. બૌદ્ધ તાર્કિકો ક્ષણિકવાદી હોઈ અને તેથી સ્થાયી દ્રવ્યને અસત્ ગણતા હોઈ, તેમના મતમાં બે પ્રત્યક્ષોનું પણ એક વિષયમાં પ્રવૃત્ત થવું સંભવતું નથી. એક જ વિષયને ગ્રહણ કરનાર પ્રત્યક્ષોની ધારારૂપ ધારાવાહી પ્રત્યક્ષ પણ તેમના મનમાં અસંભવ છે. આમ હોઈ, બે તદ્દન ભિન્ન પ્રમાણોના-પ્રત્યક્ષ અને અનુમાનના-એક જ વિષયમાં પ્રવૃત્ત થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. વળી, તેઓનો સિદ્ધાન્ત છે કે પ્રત્યક્ષ અને અનુમાનને પોતાના વ્યાપારના ખાસ ભિન્ન ક્ષેત્રો છે કારણ કે પ્રત્યક્ષ કેવળ વિશેષને (સ્વલક્ષણને) જ ગ્રહણ કરે છે જ્યારે અનુમાન કેવળ સામાન્યને જ ગ્રહણ કરે છે. અને ત્રીજા પ્રકારનો કોઈ વિષય સંભવતો નથી કે જે પ્રત્યક્ષ અને અનુમાન બંનેનો વિષય બની શકે. તેથી જેનું ગ્રહણ પ્રત્યક્ષે કર્યું હોય તેનું ગ્રહણ અનુમાન કરી શકતું નથી કે જેનું ગ્રહણ અનુમાને કર્યું હોય તેનું ગ્રહણ પ્રત્યક્ષ કરી શકતું નથી. નિષ્કર્ષ એ કે બૌદ્ધ . મતમાં એક જ વિષયમાં ભિન્ન ભિન્ન પ્રમાણોનું પ્રવૃત્ત થવું અસંભવ છે. “ - આની સામે જેઓક્ષણિકવાદનું ખંડન કરે છે અને સ્થાયીદ્રવ્યનો સ્વીકાર કરે છે તેઓ બધા એક જ વિષયનું જ્ઞાન કરવામાં અનેક પ્રમાણોની પ્રવૃત્તિનો સ્વીકાર કરે છે. નિયાયિકો પ્રમાણસંપ્લવ અને પ્રમાણવિપ્લવ બંનેને સ્વીકારે છે. તેમના મતે કેટલાક વિષયો એવા છે Jain Education International .For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194