________________
42 : જૈનદર્શનશ્રણ : ૨-૩
ભૂમિકાને કેળવવી આવશ્યક છે. ગુણપ્રદ એ આત્મસ્મૃતિનું સરળ સાધન છે.
કરુણા : કરુણાભાવનાનું સ્વરૂપ સમજવાથી આત્માની ભૂમિકા કૂણું બને છે. મૈત્રી પ્રમોદભાવનાથી રંગાયેલું જીવન આત્મસન્મુખતા પામ્યું હોય છે. તેથી જીવમાં વાસ્તવિક ધર્મ પરિણામ પામે છે અને સર્વ આત્મા પ્રત્યે દયાના ભાવ રહે છે. તેથી જગતના જીવોનું ધર્મવિમુખ આચરણ થઈને તે ઉત્તમ આત્માનું ચિત્ત કરુણાભીનું રહે છે અને અન્ય છ ધર્મ પામે તેવી ભાવનાની સહજ કુરણ થાય છે.
માધ્યસ્થભાવના : ધર્મધ્યાનમાં પ્રવેશ કરનાર આત્માના ભાવે રાગ-દ્વેષ, હર્ષ શેક, લાભ-હાનિ જેવા કંકોથી. ઉપર હોય છે. જગતમાં કઈ માન આપે કે અપમાન કરે તે પણ તે આત્મા માધ્યસ્થભાવને ધારણ કરે છે અને દુશમન પ્રતિ પણ સમતા-મધ્યસ્થતા રાખે છે.
આ ચાર ભાવનાઓની ચમત્કૃતિ એ છે કે જીવ મોક્ષમાર્ગના સાધનરૂપી રત્નત્રયને ધારક બને છે. આવા ધર્મધ્યાનને સ્વામી મુનિ કે જ્ઞાની છે. આવી ઉત્તમ દેશના સાંભળી આનંદકુમારના ભાવે સંસારનો ત્યાગ કરવા માટે સુદઢપણે પરિણમ્યા. માતાપિતાની રજા લઈ તેણે આત્મયના પંથે પ્રયાણ કર્યું. સંસારને સર્વથા ત્યાગ કર્યો.
ગુરુ આજ્ઞાને ધારણ કરીને વિવેકપૂર્વક બાળમુનિ ઉત્કૃષ્ટ આરાધના કરી રહ્યા છે. આત્મજ્ઞાનને ઉજજવળ કરતા
ધ્યાનનાં શિખરો સર કરતાં જાય છે. અનિત્યાદિ ભાવનાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com