Book Title: Bhagwan Parshwanath
Author(s): Sunandaben Vohra
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 44
________________ ભગવાન પાર્શ્વનાથ : 43 ચિંતનમાં લીન મુનિ એક વાર જગલમાં ધ્યાનમગ્ન દશામાં ઊભા હતા. ત્યાં તે સિંહની ભયંકર ગર્જનાથી જંગલ ધણધણું ઊડ્યું. પશુપંખીઓ પણ થીજી ગયાં. વૃક્ષપાન ધ્રુજી ઊઠયાં, હરણ-સસલાં સંતાઈ ગયાં. સિંહ ત્રાડે નખતે દોડતે ધસમસતે આવી રહ્યો હતો. ભયંકર ગર્જનાના પડઘા શમતા હતા ને નવા ઊતા હતા. મુનિએ તેની નેધ પણ ન લીધી. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાય સિંહ સંગ , અડાલ આસનને મનમાં ન મળે ક્ષોભતા. પરમ મિત્રને જાણે પામ્યા યોગ જો. અપૂર્વ અવસર એવો... મુનિ તે અપૂર્વ દયા અને કરુણાભાવથી જગતના સર્વ જીવનું કલ્યાણ ઈચ્છતા હતા કે, સવી જીવ કરું શાસન રસી ઐસી ભાવ દયા મન ઉલસી, આવા ઉત્કૃષ્ટભાવમાં મુનિએ તીર્થકર નામકર્મગોત્રની ઉપાર્જના કરી. સિંહે મુનિરાજને જોયા. અજ્ઞાનના ઓળા આવરાઈ ગયા અને વનરાજનો આવેગ આસમાને પહો. એક બાજુ ભયંકર ત્રાડના અવાજે. બીજી બાજુ અપૂર્વ શાંતિના ભાવે. મુનિને મંત્ર હતે સમતાભાવ. જન્મથી ચાલ્યું આવતું વેર સિંહને કુકર્મ પ્રત્યે લઈ ગયું. જીવ જ્યારે પાપવૃત્તિથી છવાઈ જાય છે ત્યારે તેને વિવેક રહેતું નથી. મહાપરાધીન દશામાં જીવ સપડાઈ મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52