________________
શ્રી ભદ્રબાહુસ્વામી
સ્થૂલિભદ્ર વિચારવા લાગ્યા એવો તે મારો શો અપરાધ થયો હશે? વિદ્યાના બળથી પોતે સિંહનું રૂપ લીધેલું તે યાદ આવ્યું. તેઓ નમી પડ્યા ને બોલ્યા : મારી ભૂલ થઈ. હવે એવી ભૂલ કદી નહિ કરું. - ભદ્રબાહુસ્વામી કહે, પણ હવે મારાથી તમને અભ્યાસ કરાવાય નહિ. છેવટે સંઘે મળીને વિનંતિ કરી ત્યારે ભદ્રબાહુસ્વામીએ બાકીનો ભાગ ભણાવ્યો, પણ તેના અર્થ શીખવ્યા નહિ.
સ્થૂલિભદ્રજી સર્વ શાસ્ત્રના જાણકાર થયા. એમના પછી કહેવાય છે કે બીજા કોઈ બધાં શાસ્ત્રના જાણકાર થયા નથી.
હવે ભદ્રબાહુસ્વામીનું મરણ પાસે આવ્યું. તેમની જગ્યા સાચવનાર અત્યંત બાહોશ ને જ્ઞાની સાધુ જોઈએ. તે સ્થૂલિભદ્ર હતા. તેથી તેમને પાટે બેસાડ્યા ને પોતે શાંતિથી ધ્યાન ધરતાં ધરતાં મરણ પામ્યા. ભદ્રબાહુસ્વામીનું નામ આજે પણ પ્રાતઃસ્મરણીય ગણાય છે. પ્રાતઃકાળમાં ઊઠીને ભરોસર બાહુબળીની સક્ઝાય બોલતાં તેમનું નામ લેવાય છે.
પર્યુષણ પર્વમાં વંચાતું અત્યંત પવિત્ર કલ્પસૂત્ર તેઓએ જ એક સૂત્રમાંથી જુદું પાડીને બનાવ્યું છે. બીજા પણ જ્યોતિષ વગેરેના ગ્રંથો તેમણે રચેલા છે.
નમસ્કાર હો મહાગ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org