________________
૧૮
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૨
થયા છીએ, પણ આપે આવો વિચિત્ર વેશ કેમ ધારણ કર્યો છે તે સમજાતું નથી ! પેટે પાટા, ખભે નિસરણી ને બીજે ખભે જાળ; વળી એક હાથમાં કોદાળી ને બીજામાં ઘાસની પૂળી– આ બધું કેમ રાખ્યું છે તે કૃપા કરીને સમજાવશો?
સિદ્ધસેને કહ્યું : “જુઓ, હું બધી વિદ્યાઓ ભણ્યો છું. તેના બોજાથી વખતે મારું પેટ ચિરાઈ જાય એ ભયથી હંમેશાં હું પેટે પાટા બાંધી રાખું છું. નિસરણી રાખવાનું કારણ એ છે કે કોઈ વિદ્વાન મારી સાથે વાદ કરતાં હારવાના ભયથી કદાચ ઊંચે ચડી જાય, તો આ નિસરણી ઉપર ચડી તેને પકડી શકું કદી જળમાં ડૂબકી મારે તો જાળથી ખેંચી કાઢે, પૃથ્વીમાં પેસી જાય તો આ કોદાળીથી ખોદી કાઢે! અને જો વાદ કરતાં હારે તો ઘાસનું તરણું આ પૂળીમાંથી ઝટ કાઢી તેના દાંતે લેવડાવું.'
રાજસભામાં બેઠેલા બધા પંડિતો આ સાંભળીને સડક થઈ ગયા. સિદ્ધસેનનાં અભિમાનપૂર્ણ વચનો સાંભળી સર્વનાં માન ગળી ગયાં.
પણ પંડિતજી ! ધારો કે આપ પોતે હાર્યા તો શું કરો ?” રાજાએ ધીમે રહીને પૂછયું.
સિદ્ધસેન સિંહની પેઠે ગર્જના કરીને બોલ્યો : “હું હારું? આ સિદ્ધસેન હારે ત્યારે તો થઈ રહ્યું ! રાજા ! સૂર્ય પશ્ચિમમાં ઊગે, પણ સિદ્ધસેન કદી હારે નહિ. મને કોઈ હરાવે તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org