Book Title: Avashyak Kriya Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 3
________________ આવશ્યક ક્રિયા ૧૬૩ ' આવશ્યક થી લઈ ને- એટલે કે પ્રતિક્રમણની સ્થાપનાથી શરૂ કરીને તે · પ્રત્યાખ્યાન-પચ્ચક્ખાણુ ' સુધીનાં યે આવશ્યકનાં સૂત્રોના તથા વચમાં વિધિ કરવાને ક્રમ મેટે ભાગે એ જ છે, જેના ઉલ્લેખ શ્રીહરિભદ્રસૂરિએ કર્યો છે. આવશ્યક ક્રિયા એટલે શુ? 1 " જે ક્રિયા અવશ્ય કરવા જેવી હાય એને જ આવશ્યક ' કહેવામાં આવે છે. આવશ્યક ક્રિયા ' બધાને માટે એક નથી; એ અધિકારભેદે જુદી જુદી છે. તેથી ‘ આવશ્યક ક્રિયા 'નું સ્વરૂપ જણાવતાં પહેલાં એ જણાવવું જરૂરી છે કે અહી` કેવા પ્રકારના અધિકારીઓના આવશ્યક ક”ને વિચાર થાય છે? સામાન્ય રીતે શરીરધારી પ્રાણીઓના એ વિભાગ છે : (૧) અહિદૃષ્ટિ અને (૨) અન્તર્દષ્ટિ. જેઓ અંતર્દષ્ટિ છે—જેમની દૃષ્ટિ આત્મા તરફ ઢળેલી છે, અર્થાત્ જેઓ સહજ સુખને પ્રગટ કરવાને વિચાર તથા પ્રયત્ન કરી રહ્યા છે—એમનાં જ · આવશ્યક કમ ના અહી વિચાર કરવાના છે. આ કથન ઉપરથી એક નિશ્ચિત થાય છે કે જેઓ જડ વસ્તુઓમાં પોતાની જાતને ભૂલી નથી ગયા—જેમની દૃષ્ટિને કાઈ પણ જડ વસ્તુનું સૌદ લોભાવી નથી શકતું એમનું ‘આવશ્યક ક’ એ જ હોઈ શકે કે જેને લઈ ને એમનો આત્મા સહજ સુખને અનુભવ કરી શકે. જ્યારે અતર્દષ્ટિ ધરાવતા આત્માઓના સમ્યક્ત્વ, ચેતના, ચારિત્ર વગેરે ગુણુ વ્યક્ત હોય ત્યારે જ તેઓ સહજ સુખને અનુભવ કરી શકે છે. તેથી જે ક્રિયાઓ સમ્યક્ત્વ વગેરે ગુણોના વિકાસમાં સહાયક થાય એ ક્રિયાઓને જ તેઓ ‘ આવશ્યક કર્માં ' સમજે છે. એટલે અહી ટૂંકાણમાં ‘ આવશ્યક ’ની વ્યાખ્યા એટલી જ સમજવી કે જે ક્રિયા જ્ઞાનાદિ ગુણને પ્રગટ કરવા માટે અવશ્ય કરવા જેવી હાય એ જ · આવશ્યક.’ . ' આવું ‘ આવશ્યક ’ જ્ઞાન અને ક્રિયા ઉભય પરિણામરૂપ અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11