Book Title: Atmasiddhishastra Part 03 Author(s): Shrimad Rajchandra, Bhanuvijay Publisher: Satshrut Abhyas Vartul View full book textPage 8
________________ પૂ.સાધ્વીજી ગુણધર્માશ્રીજી મહારાજ અને પૂ.સાધ્વીજી દિવ્યદર્શિતાશ્રીજી મહારાજને અમે સવિનય વંદીએ છીએ. એમના દ્વારા લખાણોની ઝીણવટભરી ચોકસાઈપૂર્વક ચકાસણી, ભાષાવિષયક સૂચનો અને કૌશલ્યપૂર્ણ સંશુદ્ધિ વગર આ પ્રકાશન અસંભવિત હતું. અમે ઋણસ્વીકાર સહ સર્વે પૂજ્ય સાધ્વી ભગવંતોનો હૃદયપૂર્વક સહર્ષ આભાર માનીએ છીએ. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના પ્રણેતા પરમ શ્રદ્ધેય સંત પૂજ્ય શ્રી આત્માનંદજી સાહેબ દ્વારા પ્રાપ્ત પ્રસ્તાવના આ ગ્રંથનું ગૌરવ વધારે છે. આરાધ્ય ગુરુદેવનું ગૌરવવંતુ સ્થાન સૌના હૃદયમાં ધરાવનાર પરમ શ્રદ્ધેય સંત પૂજ્ય શ્રી આત્માનંદ સાહેબનો અમો કૃતજ્ઞતાપૂર્વક ઋણ સ્વીકાર કરીએ છીએ. સુંદર છાપકામ માટે મુદ્રક શ્રી ધર્મેશભાઈ અને શ્રી અમરભાઈ (શાર્પ ઓફસેટ, રાજકોટ) તથા આ ગ્રંથ પ્રકાશન માટે સ્નેહ, સદ્ભાવ અને સહયોગ આપનાર સર્વેનો અમે આભાર માનીએ છીએ. આ પરાવાણી-સરવાણીના ઉદ્દગાતા પ.પૂ.ગુરુજીના ચરણકમલમાં દાસાનુદાસ ભાવે કોટિ કોટિ વંદન કરીએ છીએ. આ પરમહિતકારી ગ્રંથનું અધ્યયન, પરિશીલન અને મનન આત્મ જિજ્ઞાસુઓને પરમાર્થ માર્ગ પરમાનંદને પામવા નિમિત્ત બની રહો એ જ મંગલ કામનાઓ સહ... તા. ૧૯-૧૦-૨૦૧૩ આસો વદ-૧, સં. ૨૦૬૯ સદ્ભુત અભ્યાસ વર્તુળ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, તા.જી. પાટણ (ઉ.ગુ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 490