________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક અહીંયાં વિદ્વાન વક્તાઓએ જે કંઈ કહેવું જોઈએ તે ઘણું કહ્યું છે; ને હવે બહુ કહેવાનું રહેતું નથી. તેમાં પણ મારે શું કહેવું એ એક માટે પ્રશ્ન છે. હું તે ઈચ્છું કે અમે જે આ કામ કરીએ છીએ, તેમાં અમારી ત્રુટિ ક્યાં છે તે સૂચવનાર અમને મળ. મહેનત તો ઘણી કરવામાં આવી છે. તેમ છતાં પ્રસંગે પ્રસંગે વિચારવામાં આવે ત્યારે કુટિ એટલી બધી દેખાય છે કે આટલી મહાભારત કામને નિર્દોષ રીતે, કેવી રીતે પાર પાડવું તે પણ એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં આજે કેટલાંક સાધનેને લીધે, પ્રાચીન ભંડારેનાં અવલોકનને લીધે, સાહિત્યની આલોચનાને લીધે અને વિદ્વાનોના સમાગમને લીધે, જે કઈ કૃતિ જીવનમાં જાગી છે તેને ઉપગ અહીં કરી લે એ દષ્ટિએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે.
“દુનિયાના વિદ્વાને ઉપર નજર કરીએ ત્યારે અમારું સંપાદન પૂર્ણ છે, એમ કહેવાની અને હિંમત નથી કરતા. જો કે આ કામ હું એકલે. નથી કરતે, બધા જતાં હોય કે હું આ કામ એકલે કરું છું, તેમ છતાં પણ એમાં મારી સાથે આત્મીય ભાવે કામ કરનારા ઘણા મિત્રો છે : દલસુખભાઈ, પં. અમૃતલાલ વગેરે ઘણું ઘણું એવા વિદ્વાને છે, જેઓ આ કાર્યમાં રાતદિવસ રચ્યાપચ્યા રહે છે. એને લઈને મારે ભાર ઓછા થઈ જાય છે. છેલ્લાં વર્ષોમાં મારી આંખે મોતિયાને લીધે અસમર્થ હતી, તે વેળા આ વિદ્વાનોએ જ કામને વેગ આપ્યો હતો
સાત વર્ષ વહી ગયાં. સાડની સાલથી આ વિચાર થયે હતો. આટલાં વર્ષોમાં એક જ વેલ્યુમ બહાર પડવું, એથી એવો વિચાર આવે કે સાત વર્ષમાં એક જ વેલ્યુમ બહાર પડયું, તે બધું કામ ક્યારે પાર પડશે? બીજી તરફ દષ્ટિ કરવામાં આવે તે એકએક વિષય પર આજે વિદ્વાને જે વિચારે છે, એ વિચારવાને સમય નથી. કામ ઘણું મેટું છે. એટલે અમે મર્યાદા નકકી કરી આમ તેયાર કરીએ છીએ.
“ શુષીગ, ડા) યમન, ૦ આલ્સડો એ બધાએ આગને વિષે ઘણુ વિચાર્યું છે. હમણાં ૦ આલ્સડાના બે આર્ટિકલ આવ્યો છે. એક તે ઈચ્છીપરિન્ના વિષે હતા. આ ક્રિટિકલ પ્રકાશન તેમણે ત્યાંના જર્નલમાં પ્રકાશિત કર્યું હતું. આ લેખને ગુજરાતી અનુવાદ મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ ગ્રંથમાં પ્રગટ થયું છે. ઈચ્છીપરિન્ના વિષે જૈન સાધુને પૂછવામાં આવે તો પણ તે બતાવી નહિ શકે કે તે કેવી વસ્તુ છે, ને તેનું કેટલું મહત્ત્વ છે. ડો. અલ્લડો તેના અધ્યયનને કાવ્યમય બનાવ્યું છે. હું નથી ધારતા કે અમારામાંથી કેઈને એને ખ્યાલ છે કે આ અને કાવ્યમય છે કે તેના છ દેને ખ્યાલ હય, અમે ત્યાં સુધી પહોંચ્યા નથી.
“બધા આગમે ભેગા કરવામાં આવે તે સહકારથી અશુદ્ધિઓનું સંશોધન થાય; એ એકાએક શક્ય નથી. તેમ છતાં પ્રાચીન આદર્શો એકત્ર કરીએ તે કેટલીક વાર શુદ્ધ પાઠ મળે છે. એ આધારે અત્યારનું કાર્ય કરવામાં આવે છે. સામાન્ય રીતે અમારી દષ્ટિ કંઈક શ્રદ્ધાભિમુખ છે. કેટલીક વખત એમ કહેવામાં આવે છે કે શ્રદ્ધા મૌલિક વિચારોને રોકે છે. એમ બનતું હશે. પણ શ્રદ્ધાની મર્યાદા કરી બીજા પાઠભેદ વિચારતાં ઘણી વસ્તુઓ વિચારાય છે. માત્ર એક ગ્રંથના પ્રત્યંતરોના આધારે આ સંશોધન કરવામાં નથી આવતું, પણ તે ગ્રંથનાં અવતરણો, ઉદ્ધરણેને પ્રાચીન પ્રમાણેને અને આગમના પાઠોને ટીકાકારે, ચૂર્ણિકારે, ટિપ્પણકારે ને વૃત્તિકારો–બધાએ જ્યાં જ્યાં નિર્દેશ કર્યો છે તે સ્થળેની તપાસ થાય છે. અત્યાર સુધી જે જે ગમે છપાયા છે તેને પ્રાચીન તાડપત્રીઓની જે જે પ્રતા મળી શકી તે પ્રતા સાથે સરખાવી શુદ્ધ કરી રાખ્યા છે. તેને આધારે પાઠેને નિર્ણય કરીએ છીએ.
“ ઘણી વાર એવું બને છે કે સશે.ધનકારે સંશોધનમાં કોઈ સ્થળે, જરૂર જણાય ત્યાં, પાઠ દાખલ કરેલું હોય છે. તે એગ્ય સ્થળે દાખલ થયે છે કે કેમ તે વિષે શંકા જાગે છે. અમારી આ ટી મુશ્કેલી
For Private And Personal Use Only