Book Title: Atmanand Prakash Pustak 071 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 191
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ પછી મને બાજુમાં બોલાવીને કહ્યું કે “અમૃત ! હું આજ રોજ સવારે પડી ગયું છું, વિહાર લાંબે કરવાને છે અને પગમાં પીડા થાય છે. તું કઈ કુશળ માણસને બોલાવી લાવ. પણ આ વાત કોઈને પણ જણાવીશ નહીં. તથા જે ભાઈ ઇલાજ કરવા આવે તેને પણ કહેજે કે તે પણ કેઈને વાત ન કરે. નાહકના લે કે દેડાદોડ કરશે.” હું જેઠિમલ્લ જ્ઞાતિના અને હાડવૈદનું કામ કરતા શ્રી પ્રતાપમલ્લ પહેલવાનને મહારાજજીની આજ્ઞા મુજબ સૂચન કરીને બેલાવી લાવે. પુણ્યકાર્યના પ્રવાસી પુણ્યપુરુષની તકલીફ ૩૬ કલાકમાં તે બિલકુલ શમી ગઈ. અન્ય સાધુ-સાધ્વી મહારાજોની નાની-મોટી બીમારી માટે જોઈતી દવાઓના સંબંધમાં મહારાજજી વિના વિલંબે મેગ્ય ઉપાસક દ્વારા પ્રબંધ કરાવતા. પણ પિતા માટે બહુ ઓછી દવા લેવી પડે તેવું જ ઈચ્છતા. તેમનું સ્વાથ્ય પણ તેવું જ રહેતું. ૨૫. જેસલમેરના જ્ઞાનસત્રમાં હું પણ હતું જ. યુગાનુયેગે મહારાજજી અને અમે સૌ કાર્યકર ભાઈઓએ એક જ સમયે જેસલમેરમાં સાથે પ્રવેશ કર્યો. પ્રથમ તે ધર્મશાળામાં પુસ્તકની પેટીઓ અને અન્ય સામાન ઢગલાના રૂપમાં મુકાયે. તેને વર્ગીકૃત કરીને અમે સૌ ગોઠવતા હતા. મહારાજજીએ એક ઓરડે તેમના માટે પસંદ કર્યો અને તેના બારણુમાં તેઓશ્રી ઊભા હતા. અહીં અમારી સાથેના સામાનમાં જે એક નાની પેટીમાં ખર્ચ માટેના રૂ. ૩૦૦૦ હતા તે પેટી જડે નહીં ! મેં લક્ષ્મણભાઈને પૂછયું કે ક્યાંક રહી ગઈ કે પડી તે નહીં ગઈ હોય ને ? આમ અમે ચિંતામાં શોધાશોધ કરતા હતા. એટલામાં બારણામાં ઊભેલા મહારાજજીએ પૂછયું કે શું થયું છે? મેં પેટીની વાત જણાવી. મહારાજજી અતિસ્વસ્થ અને નિરાકુળ સ્વરે એટલું જ બેલા કે જડશે એ તે ! પણ અહીં આવ, હવે આપણે અહીંના કામ વિષે વિચારીએ! સામાન ઘણે હતો એટલે એક બીજા ખડકલાની નીચેથી પેટી તે મળી, પણ મહારાજજીની નિરાકુળતાથી અમે સૌ ખૂબ જ પ્રભાવિત થયા. ૨૬. જેસલમેરના નિવાસ દરમ્યાન રતલામથી વયોવૃદ્ધ શ્રીપૂજ્યજી મહારાજ જેસલમેર પધાર્યા હતા. મહારાજજીના કાર્યની તેઓશ્રીએ મુક્ત અને પ્રશંસા કરીને જણાવ્યું કે—મહાનગી ! બાપ જ્ઞાન પર્વ शासनका महत्त्वपूर्ण कार्य करते हो इसमें कोई शक नहीं। फिर भी आप अगर शासनदेवी श्री पद्मावतीजीका અનુષ્ઠાન કરે તો પાપ છાર્ય વિરોષ સુહો મહારાજજીએ તેમની સહજ સ્વસ્થતાથી જણાવ્યું કેश्री पद्मावतीजी शासनदेवी है ही, शासनका कार्य करनेकी सूझ भी पद्मावतीजीको होगी ही । मैं मानता है वहां तक मेरा कार्य शासनकाय ही है, तो पद्मावतीजीकी भी यह आवश्यकीय फर्ज है कि वो मेरे शासनकार्यमें सविशेष अनुकूलता करे । इतने काममेंसे समय निकालके मैं पद्मावतीजीकी आराधनामें लग जाऊं सो तो पद्मावतीजीको भी मंजूर न होना चाहिए, क्यों कि वो देवी है और मेरे પરિણામ રૂસો જ્ઞાત હો હી વાપિ આ વાત સાંભળીને શ્રીપૂજ્યજી મહારાજે કઈ દલીલ કરી ન હતી. ૨૭. જેસલમેરમાં એક રાત્રે હું મહારાજ પાસે શંકા પૂછવા બેઠા ત્યારે મહારાજ શંકાસ્થળ જેતા હતા, તે વખતે મારી નજર તેમના આસન ઉપર પડેલા પત્ર ઉપર પડી. પત્રની પંક્તિમાં અનુયોગકારસૂત્રનું નામ જેવાથી મને થયું કે આગમ સંબંધી વિગતને પત્ર લાગે છે. તેથી જે ભાગ ખુલ્લો હતો તે વાંચતાં જણાયું કે એક ગુણગ્રાહી મુનિભગવંતના મંગાવવાથી મહારાજજીએ પોતે સુધારેલી અનુયોગકારસૂત્રની પ્રતિ મેકલી હશે. તે પ્રતિ જોઈને પત્ર લખનાર મુનિશ્રીએ મહારાજજી પ્રત્યે ખૂબ જ ભક્તિપૂર્વક જણાવેલું કે “અનુગારસૂત્રનું આવું સંશોધન વર્તમાનકાળમાં આપના સિવાય બીજાને માટે પ્રાયઃ અશક્ય છે. પત્ર લખનાર મુનિશ્રીનું નામ વાંચીને મેં મહારાજજીને પૂછયું કે “આ મહારાજે આપના માટે આવું સરસ લખ્યું છે? મહારાજજીએ કહ્યું કે “તેં જોયું તો ભલે જોયું, આ આખો કાગળ વાંચી જ, પણ કેઈનેય કહીશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249