Book Title: Atmanand Prakash Pustak 071 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 211
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ પુણ્યના પુંજ-શે, ધર્મની ધ્વજા-શો, આગમને કરતે ઊજળા, શાસનની પ્રેરતા પ્રભાવના ! વિજય વરતે જીવન-જંગે, ચતુર્વિધ સંઘ સદાય સંગે! તો તણે દર્શક, અધ્યાત્મયોગી, જ્ઞાન-ય અર્થે અપતે જોગી ! સદ્ભાગ્ય સમાજના સંત એ સાંપડ્યા, સંઘ-શાસનના જેણે સત્કાર્યો કર્યા, એવા ગુરુવર્ય શ્રી પુણ્યવિજયજીને, સાષ્ટાંગ નમીએ, શિરસા વંદીએ, જ્ઞાનના એ ગરવી ગવાળને ! બાહ્યાચારમાં કાર્યરત સદા, વિશિષ્ટ મગ્નતા અંતરે ધરતા, શીલ, સંયમ, તપ થકી શોભતા, વંદતાં ધન્ય સૌ બનતા -જ્ઞાનના એ ગરવા ગોવાળને! આગમના એ અજોડ રખેવાળને! વિદ્વવલ્લભની પ્રસાદી લેખક–. હીરાલાલ ૨, કાપડિયા, એમ. એ. “વિક્વલ્લભ”ના બે અર્થ થાય છે: (૧) વિદ્વાને વલ્લભ-પ્રિય અને (૨) જેને વિદ્વાને-સાક્ષર વલ્લભ છે તે. એ બને અર્થસૂચક “વિદ્ વલ્લભ' વિશેષણ હું આજે ઘણાં વર્ષોથી એક મુનિવરને માટે વાપરતા આવ્યો છું. એ મુનિવર તે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના પ્રશિય અને ચતુરવિજયજીના શિષ્યરત્ન સ્વ. પુણ્યવિજયજી છે. પ્રસાદી એ ગુજરાતી શબ્દના “સાર્થ ગુજરાતી જોડણીકોશ”માં ત્રણ અર્થ અપાયા છેઃ (૧) દેવને ધરાવેલી સામગ્રી, (૨) દેવ, ગુરુએ પ્રસન્ન થઈ આપેલી ચીજ અને (૩) માર.' આ પૈકી દ્વિતીય અર્થ અત્ર સર્વાશે અભિપ્રેત છે. પુણ્યવિજયજીનાં લખાણો મને પ્રેરણાદાયક નીવડ્યાં છે–અમુક અંશે એ દ્વારા મારા જ્ઞાનની વૃદ્ધિ થઈ છે એટલે એ અપેક્ષાએ એએ “વિદ્યાગુરુ ' ગણાય. એમનાં લખાણે વિવિધ વિબુધવને માર્ગદર્શક બન્યાં છે; જૈન સમાજને એ વિશેષતઃ ઉપયોગી થઈ પડ્યાં છે. આવાં એમનાં લખાણોને હું એમના તરફથી મળેલી “પ્રસાદી' કહું છું. આ જાતની લગભગ સંપૂર્ણ પ્રસાદી આપણને જ્ઞાનાંજલિના પ્રથમ ખંડમાં ચાખવા મળે છે. એની સંક્ષિપ્ત રૂપરેખા હું આ લેખ દ્વારા આલેખું છું. સને ૧૯૧થી ૧૯૬૮ સુધીના એમના ગ્રંથની અને ગ્રંથરૂપે પ્રસિદ્ધ થયેલાં સંપાદનની સૂચી પૃ. ૨૩-૨૪માં અપાઈ છે. એમાંનાં કેટલાંક સંપાદને એમના ગુરુવર્યાદિ સાથે કરેલાં છે. આ સૂચી ઉપરથી જોઈ શકાય છે કે એમણે બહકપત્રક ( નિર્યુક્તિ-ભાગ્ય-ત્તિ સહિત ), છકલ્પસૂત્ર, કપુત્ર અને એની નિયુક્તિ અને શૂર્ષિ તેમ જ એનાં ટિપ્પનક તથા ગુજરાનુવાદ, અંગવિજજા, નદીસુત્ર અને એની ચૂર્ણિ, ૧. આ “લાક્ષણિક” અર્થ છે. ૨. અંતમાંનાં પાંચ સંપાદને છપાય છે. ૩. આનું મૂળ નામ “કમ્પ” છે. આ નામ તે કાલાંતરે પડાયેલું છે. છે. આનું શાસ્ત્રીય નામ “પજવણાક’ કિંવા “પજુસણકમ્પ” છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249