Book Title: Atmanand Prakash Pustak 001 Ank 03
Author(s): Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar
Publisher: Atmaramji Jain Pustakalay Vyavasthapak Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આહંત મહા સમાજ અથવા જન કેન્ફરન્સ, વિદને પાર પાડે એવા નાયકની (આપણું પ્રમુખની) ગ્ય નરરત્નની ચુંટણી કરવાને ભલામણ કરું છું. ઉપર પ્રમાણે સન્માનકારિણી સભાના. નાયક મી. વીરચંદ દીપચંદે પોતાને યોગ્ય ભાષણથી આ મહા સમાજમાં પધાર રેલા પિતાના સાધમ બંધુઓની સત્કારરૂપ મહા સેવા કરી હતી. આવી મહાસેવા કરવાનો સમય કઈ ઉગ્ર પુણ્યવાન નરરત્નને જ મલેછે. આ ચપલ અને ક્ષણિક લક્ષ્મી પ્રાપ્ત થતાં તેને સપ્તક્ષેત્રમાં સદુપયોગ કરી માનવ જન્મની કૃતાર્થતા કરનાર કોઈ વિરલા વીર ઊત્પન્ન થાય છે. આવું મહાસભાન મુંબઈના શ્રાવક સમુદાયની સર્વ રીતે સહાયરૂપ સેવા કરનાર શેઠ વીરચંદભાઈએ સં. પાદન કર્યું છે, જેને માટે મુંબાઈને શ્રાવક સમુદાય સાભિમાન છે. શેઠ વીરચંદ દીપચંદના રસિક અને સાધક ભાષણ પછી ભારત વર્ષના પ્રખ્યાત ધનવાન રાય બદ્રીદાસજીએ એક ઘણું અગત્યનું, રસરિત, ધર્મના સ્વરૂપને દર્શાવનારૂં, શ્રેાતાની મનોવૃત્તિ પર અસર કરનારું અને કોન્ફરન્સને હેતુ સિદ્ધ થાય તેવા વિષયની ચર્ચાને સૂચવનારૂં હિંદુસ્તાની ભાષામાં ભાપણ કીધું હતું. જેનું સવિસ્તર ભાષાંતર બીજા પત્રમાં પ્રસિદ્ધ થઈ પ્રસાર પામેલું છે. જગતના સમગ્ર સંધરૂપ, અને મૂમય તીર્થ સ્વરૂપ એવા આ મહા સમાજની વચ્ચે સર્વોપરિ સન્માન પદને ધારણ કરનાર, દિવ્ય આહેત તેજથી પ્રકાશિત, શુદ્ધ શ્રાવક ધેમેન પરમ ઉપાસક, અને ભારતાધિપતિ એડવર્ડ ધેિ સેવન્થના પ્રતિનિધિ નામદાર વાઈસરાયના માનવંતા ઝવેરી રાય બદ્રીદાસજીએ આપેલું ભાષણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28