________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનંદ પ્રકાશ, રાજાઓએ અને ધનાઢય ગૃહસ્થોએ ભવ્ય ચૈત્ય રચાવી આ ભારતવર્ષને વિભૂષિત કરેલો છે. જેનના પવિત્ર તીથી પ્રા કરીને પર્વતેના શિખર ઉપર આવેલા છે. તે ઉપર ચેલા ચિત્રકારી રચનાથી સુશોભિત માંદેર શ્રેણીબંધ ઉભા છે. જેમના શિખરની ધ્વજાઓ સુધ કલશની શ્રેણુ સહિત ગગન સાથે વાત કરે છે. એવા ચ ચેવાની સમૃદ્ધિ અવાચીનકારે ઓછી છે, માટે જૈનેએ તેમનું સંરક્ષણ કરવામાં પોતાનું મુખ્ય કર્તવ્ય સમજવાનું છે. નવીન ચય કરાવા કરતાં જીણને ઉદ્ધાર કરવા સત્તમ છે. એ વાત શાસિદ્ધ થઈ ચુકી છે. તે સિવાયના બીજા ઠરાવ ઉપર વિશેષ વિવેચન નહીં કરતાં ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે, જેમાં ધાર્મિક અને સાંસારિક સાર્વજનિક હિત હોય તે સર્વ જૈનવ્યકિતનું મુખ્ય કર્તવ્ય છે અને તે વિષે મનન કરી, તન, મન ધનથી પ્રયત્ન કરે જઇએ. આપ્રમાણે આ બીજી જૈન શ્વેતાંબર કોન્ફરન્સે જયજિતેંદ્રના વિજય નાદથી ગગનને ગર્જવી પોતાનું પવિત્ર કર્તવ્ય નિધેિ પૂર્ણ કર્યું છે. અને પોતે કરેલા ઊત્તમ ઠાએ દરેક જૈનના વ્યવહાર, વિચાર અને જાતીય ચારિત્રમાં અં. તરંગ પ્રવેશ કરી સુધારણાના બીજ રોપ્યા છે. હવે તે ઉપર સતત મનન કરવારૂપ જલસિંચન કરી તેના સ્વાદુ ફલ મેલવવા એ પ્રત્યેક દેશના સ્થાનિક મંડલનું કર્તવ્ય છે. અમે અંતઃકરણથી ઈચ્છિ છીએ કે, તે કર્તવ્યમાં કોઈપણ જૈનનું સ્થાનિક મંડલ પ્રમાદને વશ ન થતાં તેના ઊદયમાં પ્રયત્ન કરે અને આ કેન્ફરન્સરૂપ કુ૫લતાના અમૃત ફલને મધુર સ્વાદ લે. “તથાસ્તુ" For Private And Personal Use Only