Book Title: Atmagyan ane Sadhnapath
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation Mumbai

View full book text
Previous | Next

Page 363
________________ ૩૨૦ આત્મજ્ઞાન અને સાધનાપથ ભાવના-જ્ઞાન કેવળ શ્રવણ, વાચન કે તર્કના બળે જ નહિ, પણ જાત અનુભવના આધારે અંતરમાં સ્ફૂરતું જ્ઞાન-પ્રજ્ઞા. ભેદ રત્નત્રયી-જુઓ પ્રકરણ બીજા અંતર્ગત પેટા મથાળું : ‘નિશ્ચય-વ્યવહાર રત્નત્રયી' ભોગ-ઉપભોગ-ભોજન વગેરે–જેનો એકવાર ભોગવટો થઈ શકે તે ભોગ, અને વસ્ત્ર, મકાન, વાહનાદિ કે જેનો વારંવાર ભોગવટો થઈ શકે તે ઉપભોગ. મતિજ્ઞાન-આંખ, કાન, નાક, જિહ્વા કે ત્વચા-આ પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન. મનોગુપ્તિ-ચિત્તને આર્ત્ત-રૌદ્ર સંકલ્પ-વિકલ્પથી મુક્ત, સમભાવથી યુક્ત અને આત્મભાવમાં સ્થિર કરવાનો અભ્યાસ; જુઓ પ્રકરણ બીજું ‘જ્ઞાનની કસોટી: મનોગુપ્તિ' શીર્ષક વિવેચન (પૃષ્ઠ ૧૯-૨૩). મન:પર્યવ જ્ઞાન : બીજાના મનને જાણી લેતી-વિચારો વાંચી લેતી-અતીન્દ્રિય જ્ઞાનશક્તિ. મિથ્યાદુષ્કૃત-ક્ષમાયાચના. મુહપત્તિ-જૈન મુનિઓ બોલતી વખતે મુખ આડે વસ્તુનો નાનો ટુકડો રાખે છે તે. મોહ--આત્મસ્વરૂપનું ભાન થવા ન દેનાર કે આત્મજાગૃતિને આવરી દેતી અજ્ઞાનાત્મક વૃત્તિ: અવિદ્યા. યમ-આઠ યોગાંગમાંનું પ્રથમ અંગ; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની સાધના જેમાં સમાવિષ્ટ છે. સફળ યોગસાધનાનો પાયો યમનિયમ છે. યોગદષ્ટિ-૧. આત્મવિકાસની તરતમતા દર્શાવતી આઠ યોગભૂમિકાઓમાંની કોઈ એક ભૂમિકા; ૨. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ‘યોગદષ્ટિ સમુચ્ચય' નામનો ગ્રંથ. આત્મવિકાસની ભૂમિકાઓ માટે જૈન પરિભાષામાં સામાન્યત: ‘ગુણસ્થાન’ કે ‘ગુણસ્થાનક’ (ગુજરાતી-‘ગુણઠાણું”) શબ્દ પ્રચલિત છે. આત્મવિકાસનો સમગ્ર પથ ચૌદ ગુણસ્થાનમાં આવરી લેવાયો છે. આત્મવિકાસની એ યાત્રાને આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે આઠ વિભાગોમાં વહેંચી નાખી ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં એને નવી પરિભાષા આપી છે. એમણે આત્મવિકાસની એ આઠ ભૂમિકાઓને આઠ ‘યોગદૃષ્ટિઓ’ તરીકે ઓળખાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379